કહાનજૈનશાસ્ત્રમાળા ]
येन नित्यमेव सम्यग्द्रष्टयः सकलकर्मफलनिरभिलाषाः सन्तोऽत्यन्तकर्मनिरपेक्षतया वर्तन्ते, तेन नूनमेते अत्यन्तनिश्शङ्कदारुणाध्यवसायाः सन्तोऽत्यन्तनिर्भयाः सम्भाव्यन्ते ।
श्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः ।
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।१५५।।
ગાથાર્થઃ — [ सम्यग्दृष्टयः जीवाः ] સમ્યગ્દ્રષ્ટિ જીવો [ निश्शङ्काः भवन्ति ] નિઃશંક હોય છે [ तेन ] તેથી [ निर्भयाः ] નિર્ભય હોય છે; [ तु ] અને [ यस्मात् ] કારણ કે [ सप्तभयविप्रमुक्ताः ] સપ્ત ભયથી રહિત હોય છે [ तस्मात् ] તેથી [ निश्शङ्काः ] નિઃશંક હોય છે ( – અડોલ હોય છે).
ટીકાઃ — કારણ કે સમ્યગ્દ્રષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક દારુણ (દ્રઢ) નિશ્ચયવાળા હોવાથી અત્યંત નિર્ભય છે એમ સંભાવના કરવામાં આવે છે (અર્થાત્ એમ યોગ્યપણે ગણવામાં આવે છે).
હવે સાત ભયનાં કળશરૂપ કાવ્યો કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના એમ બે ભયનું એક કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ एषः ] આ ચિત્સ્વરૂપ લોક જ [ विविक्तात्मनः ] ભિન્ન આત્માનો (અર્થાત્ પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો) [ शाश्वतः एक : सक ल-व्यक्त : लोक : ] શાશ્વત, એક અને સકલવ્યક્ત ( – સર્વ કાળે પ્રગટ એવો) લોક છે; [ यत् ] કારણ કે [ के वलम् चित्- लोकं ] માત્ર ચિત્સ્વરૂપ લોકને [ अयं स्वयमेव एक क : लोक यति ] આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે — અનુભવે છે. આ ચિત્સ્વરૂપ લોક જ તારો છે, [ तद्-अपरः ] તેનાથી બીજો કોઈ લોક — [ अयं लोक : अपरः ] આ લોક કે પરલોક — [ तव न ] તારો નથી એમ જ્ઞાની વિચારે છે, જાણે છે, [ तस्य तद्-भीः कु तः अस्ति ] તેથી જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો