૩૫૨
निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः ।
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।१५६।।
ભય ક્યાંથી હોય? [ सः स्वयं सततं निश्शङ्कः सहजं ज्ञानं सदा विन्दति ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને (પોતાના જ્ઞાનસ્વભાવને) સદા અનુભવે છે.
ભાવાર્થઃ — ‘આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ?’ એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. ‘પરભવમાં મારું શું થશે?’ એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે. જ્ઞાની જાણે છે કે — આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ છે. આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી બગાડ્યો બગડતો નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? કદી ન હોય. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે. ૧૫૫.
હવે વેદનાભયનું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ निर्भेद-उदित-वेद्य-वेदक -बलात् ] અભેદસ્વરૂપ વર્તતા વેદ્ય-વેદકના બળથી (અર્થાત્ વેદ્ય અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી) [ यद् एकं अचलं ज्ञानं स्वयं अनाकु लैः सदा वेद्यते ] એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે ( – જ્ઞાનીઓ વડે) સદા વેદાય છે, [ एषा एका एव हि वेदना ] તે આ એક જ વેદના (જ્ઞાનવેદન) જ્ઞાનીઓને છે. (આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવાયોગ્ય છે.) [ ज्ञानिनः अन्या आगत-वेदना एव हि न एव भवेत् ] જ્ઞાનીને બીજી કોઈ આવેલી ( – પુદ્ગલથી થયેલી) વેદના હોતી જ નથી, [ तद्-भीः कु तः ] તેથી તેને વેદનાનો ભય ક્યાંથી હોય? [ सः स्वयं सततं निश्शङ्कः सहजं ज्ञानं सदा विन्दति ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થઃ — સુખદુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર સ્વરૂપનો જ ભોગવટો છે. તે પુદ્ગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી. માટે જ્ઞાનીને વેદનાભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો જ્ઞાનને અનુભવે છે. ૧૫૬.