Samaysar (Gujarati). Gatha: 252.

< Previous Page   Next Page >


Page 382 of 642
PDF/HTML Page 413 of 673

 

૩૮૨

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू
आउं च ण दिंति तुहं कहं णु ते जीविदं कदं तेहिं ।।२५२।।
आयुरुदयेन जीवति जीव एवं भणन्ति सर्वज्ञाः
आयुश्च न ददासि त्वं कथं त्वया जीवितं कृतं तेषाम् ।।२५१।।
आयुरुदयेन जीवति जीव एवं भणन्ति सर्वज्ञाः
आयुश्च न ददति तव कथं नु ते जीवितं कृतं तैः ।।२५२।।

जीवितं हि तावज्जीवानां स्वायुःकर्मोदयेनैव, तदभावे तस्य भावयितुमशक्यत्वात्; स्वायुःकर्म च नान्येनान्यस्य दातुं शक्यं, तस्य स्वपरिणामेनैव उपार्ज्यमाणत्वात्; ततो न कथञ्चनापि अन्योऽन्यस्य जीवितं कुर्यात् अतो जीवयामि, जीव्ये चेत्यध्यवसायो ध्रुवमज्ञानम्

છે આયુ-ઉદયે જીવન જીવનું એમ સર્વજ્ઞે કહ્યું,
તે આયુ તુજ દેતા નથી, તો જીવન ક્યમ તારું કર્યું? ૨૫૨.

ગાથાર્થઃ[जीवः] જીવ [आयुरुदयेन] આયુકર્મના ઉદયથી [जीवति] જીવે છે [एवं] એમ [सर्वज्ञाः] સર્વજ્ઞદેવો [भणन्ति] કહે છે; [त्वं] તું [आयुः च] પર જીવોને આયુકર્મ તો [न ददासि] દેતો નથી [त्वया] તો (હે ભાઈ!) તેં [तेषाम् जीवितं] તેમનું જીવિત (જીવતર) [कथं कृतं] કઈ રીતે કર્યું?

[जीवः] જીવ [आयुरुदयेन] આયુકર્મના ઉદયથી [जीवति] જીવે છે [एवं] એમ [सर्वज्ञाः] સર્વજ્ઞદેવો [भणन्ति] કહે છે; પર જીવો [तव] તને [आयुः च] આયુકર્મ તો [न ददति] દેતા નથી [तैः] તો (હે ભાઈ!) તેમણે [ते जीवितं] તારું જીવિત [कथं नु कृतं] કઈ રીતે કર્યું?

ટીકાઃપ્રથમ તો, જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે, કારણ કે પોતાના આયુકર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવું (થવું) અશક્ય છે; વળી પોતાનું આયુકર્મ બીજાથી બીજાને દઇ શકાતું નથી, કારણ કે તે (પોતાનું આયુકર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે (મેળવાય છે); માટે કોઈ પણ રીતે બીજો બીજાનું જીવિત કરી શકે નહિ. તેથી ‘હું પરને જિવાડું છું અને પર મને જિવાડે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે (નિયતપણે) અજ્ઞાન છે.

ભાવાર્થઃપૂર્વે મરણના અધ્યવસાય વિષે કહ્યું હતું તે પ્રમાણે અહીં પણ જાણવું.