૩૮૬
पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम् ।
मिथ्याद्रशो नियतमात्महनो भवन्ति ।।१६९।।
[एतत् अज्ञानम्] તે તો અજ્ઞાન છે. ૧૬૮.
શ્લોકાર્થઃ — [एतत् अज्ञानम् अधिगम्य] આ (પૂર્વે કહેલી માન્યતારૂપ) અજ્ઞાનને પામીને [ये परात् परस्य मरण-जीवित-दुःख-सौख्यम् पश्यन्ति] જે પુરુષો પરથી પરનાં મરણ, જીવન, દુઃખ, સુખ દેખે છે અર્થાત્ માને છે, [ते] તે પુરુષો — [अहंकृतिरसेन क र्माणि चिकीर्षवः] કે જેઓ એ રીતે અહંકાર-રસથી કર્મો કરવાના ઇચ્છક છે (અર્થાત્ ‘હું આ કર્મોને કરું છું’ એવા અહંકારરૂપી રસથી જેઓ કર્મ કરવાની — મારવા-જિવાડવાની, સુખી-દુઃખી કરવાની — વાંછા કરનારા છે) તેઓ — [नियतम्] નિયમથી [मिथ्याद्रशः आत्महनः भवन्ति] મિથ્યાદ્રષ્ટિ છે, પોતાના આત્માનો ઘાત કરનારા છે.
ભાવાર્થઃ — જેઓ પરને મારવા-જિવાડવાનો તથા સુખ-દુઃખ કરવાનો અભિપ્રાય કરે છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે. તેઓ પોતાના સ્વરૂપથી ચ્યુત થયા થકા રાગી, દ્વેષી, મોહી થઈને પોતાથી જ પોતાનો ઘાત કરે છે, તેથી હિંસક છે. ૧૬૯.
હવે આ અર્થને ગાથા દ્વારા કહે છેઃ —