Samaysar (Gujarati). Kalash: 170.

< Previous Page   Next Page >


Page 387 of 642
PDF/HTML Page 418 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

બંધ અધિકાર
૩૮૭
यो म्रियते यश्च दुःखितो जायते कर्मोदयेन स सर्वः
तस्मात्तु मारितस्ते दुःखितश्चेति न खलु मिथ्या ।।२५७।।
यो न म्रियते न च दुःखितः सोऽपि च कर्मोदयेन चैव खलु
तस्मान्न मारितो नो दुःखितश्चेति न खलु मिथ्या ।।२५८।।

यो हि म्रियते जीवति वा, दुःखितो भवति सुखितो भवति वा, स खलु स्वकर्मोदयेनैव, तदभावे तस्य तथा भवितुमशक्यत्वात् ततः मयायं मारितः, अयं जीवितः, अयं दुःखितः कृतः, अयं सुखितः कृतः इति पश्यन् मिथ्याद्रष्टिः

(अनुष्टुभ्)
मिथ्याद्रष्टेः स एवास्य बन्धहेतुर्विपर्ययात्
य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य द्रश्यते ।।१७०।।

ગાથાર્થઃ[यः म्रियते] જે મરે છે [च] અને [यः दुःखितः जायते] જે દુઃખી થાય છે [सः सर्वः] તે સૌ [कर्मोदयेन] કર્મના ઉદયથી થાય છે; [तस्मात् तु] તેથી [मारितः च दुःखितः] ‘મેં માર્યો, મેં દુઃખી કર્યો’ [इति] એવો [ते] તારો અભિપ્રાય [न खलु मिथ्या] શું ખરેખર મિથ્યા નથી?

[च] વળી [यः न म्रियते] જે નથી મરતો [च] અને [न दुःखितः] નથી દુઃખી થતો [सः अपि] તે પણ [खलु] ખરેખર [कर्मोदयेन च एव] કર્મના ઉદયથી જ થાય છે; [तस्मात्] તેથી [न मारितः च न दुःखितः] ‘મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો’ [इति] એવો તારો અભિપ્રાય [न खलु मिथ्या] શું ખરેખર મિથ્યા નથી?

ટીકાઃજે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં તેનું તે પ્રમાણે થવું (અર્થાત્ મરવું, જીવવું, દુઃખી થવું કે સુખી થવું) અશક્ય છે. માટે ‘મેં આને માર્યો, આને જિવાડ્યો, આને દુઃખી કર્યો, આને સુખી કર્યો’ એવું દેખનાર અર્થાત્ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.

ભાવાર્થઃકોઈ કોઈનું માર્યું મરતું નથી, જિવાડ્યું જીવતું નથી, સુખી-દુઃખી કર્યું સુખી -દુઃખી થતું નથી; તેથી જે મારવા, જિવાડવા આદિનો અભિપ્રાય કરે તે તો મિથ્યાદ્રષ્ટિ જ હોય એમ નિશ્ચયનું વચન છે. અહીં વ્યવહારનય ગૌણ છે.

હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છેઃ

શ્લોકાર્થઃ[अस्य मिथ्याद्रष्टेः] મિથ્યાદ્રષ્ટિને [यः एव अयम् अज्ञानात्मा अध्यवसायः द्रश्यते]