Samaysar (Gujarati). Gatha: 259.

< Previous Page   Next Page >


Page 388 of 642
PDF/HTML Page 419 of 673

 

૩૮૮

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
एसा दु जा मदी दे दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति
एसा दे मूढमदी सुहासुहं बंधदे कम्मं ।।२५९।।
एषा तु या मतिस्ते दुःखितसुखितान् करोमि सत्त्वानिति
एषा ते मूढमतिः शुभाशुभं बध्नाति कर्म ।।२५९।।

परजीवानहं हिनस्मि, न हिनस्मि, दुःखयामि, सुखयामि इति य एवायमज्ञानमयो- ऽध्यवसायो मिथ्याद्रष्टेः, स एव स्वयं रागादिरूपत्वात्तस्य शुभाशुभबन्धहेतुः

अथाध्यवसायं बन्धहेतुत्वेनावधारयति જે આ અજ્ઞાનસ્વરૂપ *અધ્યવસાય જોવામાં આવે છે [सः एव] તે અધ્યવસાય જ, [विपर्ययात्] વિપર્યયસ્વરૂપ (વિપરીત, મિથ્યા) હોવાથી, [अस्य बन्धहेतुः] તે મિથ્યાદ્રષ્ટિને બંધનું કારણ છે.

ભાવાર્થઃજૂઠો અભિપ્રાય તે જ મિથ્યાત્વ, તે જ બંધનું કારણએમ જાણવું. ૧૭૦.

હવે, આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એમ ગાથામાં કહે છેઃ

આ બુદ્ધિ જે તુજ‘દુખિત તેમ સુખી કરું છું જીવને’,
તે મૂઢ મતિ તારી અરે! શુભ અશુભ બાંધે કર્મને. ૨૫૯.

ગાથાર્થઃ[ते] તારી [या एषा मतिः तु] જે આ બુદ્ધિ છે કે હું [सत्त्वान्] જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि इति] કરું છું, [एषा ते मूढमतिः] તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મોહસ્વરૂપ બુદ્ધિ જ) [शुभाशुभं कर्म] શુભાશુભ કર્મને [बध्नाति] બાંધે છે.

ટીકાઃ‘પર જીવોને હું હણું છું, નથી હણતો, દુઃખી કરું છું, સુખી કરું છું’ એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદ્રષ્ટિને છે, તે જ (અર્થાત્ તે અધ્યવસાય જ) પોતે રાગાદિરૂપ હોવાથી તેને (મિથ્યાદ્રષ્ટિને) શુભાશુભ બંધનું કારણ છે.

ભાવાર્થઃમિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે.

હવે, અધ્યવસાયને બંધના કારણ તરીકે બરાબર નક્કી કરે છેઠરાવે છે (અર્થાત્ * જે પરિણામ મિથ્યા અભિપ્રાય સહિત હોય (સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા

વૈભાવિક હોય તે પરિણામ માટે અધ્યવસાય શબ્દ વપરાય છે. (મિથ્યા) નિશ્ચય, (મિથ્યા) અભિપ્રાય
એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે.