Samaysar (Gujarati). Gatha: 274.

< Previous Page   Next Page >


Page 406 of 642
PDF/HTML Page 437 of 673

 

૪૦૬

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

शीलतपःपरिपूर्णं त्रिगुप्तिपंचसमितिपरिकलितमहिंसादिपञ्चमहाव्रतरूपं व्यवहारचारित्रं अभव्योऽपि कुर्यात्, तथापि च निश्चारित्रोऽज्ञानी मिथ्याद्रष्टिरेव, निश्चयचारित्रहेतुभूतज्ञानश्रद्धान- शून्यत्वात्

तस्यैकादशाङ्गज्ञानमस्ति इति चेत्

मोक्खं असद्दहंतो अभवियसत्तो दु जो अधीएज्ज
पाठो ण करेदि गुणं असद्दहंतस्स णाणं तु ।।२७४।।
मोक्षमश्रद्दधानोऽभव्यसत्त्वस्तु योऽधीयीत
पाठो न करोति गुणमश्रद्दधानस्य ज्ञानं तु ।।२७४।।

मोक्षं हि न तावदभव्यः श्रद्धत्ते, शुद्धज्ञानमयात्मज्ञानशून्यत्वात् ततो ज्ञानमपि नासौ [अज्ञानी] અજ્ઞાની [मिथ्याद्रष्टिः तु] અને મિથ્યાદ્રષ્ટિ છે.

ટીકાઃશીલ અને તપથી પરિપૂર્ણ, ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ પ્રત્યે સાવધાની ભરેલું, અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર અભવ્ય પણ કરે છે અર્થાત્ પાળે છે; તોપણ તે (અભવ્ય) નિશ્ચારિત્ર (ચારિત્રરહિત), અજ્ઞાની અને મિથ્યાદ્રષ્ટિ જ છે કારણ કે નિશ્ચયચારિત્રના કારણરૂપ જ્ઞાન-શ્રદ્ધાનથી શૂન્ય છે.

ભાવાર્થઃઅભવ્ય જીવ મહાવ્રત-સમિતિ-ગુપ્તિરૂપ વ્યવહાર ચારિત્ર પાળે તોપણ નિશ્ચય સમ્યગ્જ્ઞાનશ્રદ્ધાન વિના તે ચારિત્ર ‘સમ્યક્ચારિત્ર’ નામ પામતું નથી; માટે તે અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ અને નિશ્ચારિત્ર જ છે.

હવે શિષ્ય પૂછે છે કેતેને અગિયાર અંગનું જ્ઞાન તો હોય છે; છતાં તેને અજ્ઞાની કેમ કહ્યો? તેનો ઉત્તર કહે છેઃ

મુક્તિ તણી શ્રદ્ધારહિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે,
પણ જ્ઞાનની શ્રદ્ધારહિતને પઠન એ નહિ ગુણ કરે. ૨૭૪.

ગાથાર્થઃ[मोक्षम् अश्रद्दधानः] મોક્ષને નહિ શ્રદ્ધતો એવો [यः अभव्यसत्त्वः] જે અભવ્યજીવ છે તે [तु अधीयीत] શાસ્ત્રો તો ભણે છે, [तु] પરંતુ [ज्ञानं अश्रद्दधानस्य] જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા તેને [पाठः] શાસ્ત્રપઠન [गुणम् न करोति] ગુણ કરતું નથી.

ટીકાઃપ્રથમ તો મોક્ષને જ અભવ્ય જીવ, (પોતે) શુદ્ધજ્ઞાનમય આત્માના જ્ઞાનથી