Samaysar (Gujarati). Kalash: 176 Gatha: 280.

< Previous Page   Next Page >


Page 414 of 642
PDF/HTML Page 445 of 673

 

૪૧૪

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(अनुष्टुभ्)
इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः
रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः ।।१७६।।
ण य रागदोसमोहं कुव्वदि णाणी कसायभावं वा
सयमप्पणो ण सो तेण कारगो तेसिं भावाणं ।।२८०।।
न च रागद्वेषमोहं करोति ज्ञानी कषायभावं वा
स्वयमात्मनो न स तेन कारकस्तेषां भावानाम् ।।२८०।।

यथोक्तं वस्तुस्वभावं जानन् ज्ञानी शुद्धस्वभावादेव न प्रच्यवते, ततो रागद्वेषमोहादि- भावैः स्वयं न परिणमते, न परेणापि परिणम्यते, ततष्टङ्कोत्कीर्णैकज्ञायकभावो ज्ञानी रागद्वेषमोहादिभावानामकर्तैवेति प्रतिनियमः

શ્લોકાર્થઃ[इति स्वं वस्तुस्वभावं ज्ञानी जानाति] એવા પોતાના વસ્તુસ્વભાવને જ્ઞાની જાણે છે [तेन सः रागादीन् आत्मनः न कुर्यात्] તેથી તે રાગાદિકને પોતાના કરતો નથી, [अतः कारकः न भवति] તેથી તે (રાગાદિકનો) કર્તા નથી. ૧૭૬.

હવે, એ પ્રમાણે જ ગાથામાં કહે છેઃ

કદી રાગદ્વેષવિમોહ અગર કષાયભાવો નિજ વિષે
જ્ઞાની સ્વયં કરતો નથી; તેથી ન તત્કારક ઠરે. ૨૮૦.

ગાથાર્થઃ[ज्ञानी] જ્ઞાની [रागद्वेषमोहं] રાગદ્વેષમોહને [वा कषायभावं] કે કષાયભાવને [स्वयम्] પોતાની મેળે [आत्मनः] પોતામાં [न च करोति] કરતો નથી [तेन] તેથી [सः] તે, [तेषां भावानाम्] તે ભાવોનો [कारकः न] કારક અર્થાત્ કર્તા નથી.

ટીકાઃયથોક્ત (અર્થાત્ જેવો કહ્યો તેવા) વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની (પોતાના) શુદ્ધસ્વભાવથી જ ચ્યુત થતો નથી તેથી રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોરૂપે પોતાની મેળે પરિણમતો નથી અને પર વડે પણ પરિણમાવાતો નથી, માટે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ જ્ઞાની રાગ -દ્વેષ-મોહ આદિ ભાવોનો અકર્તા જ છેએવો નિયમ છે.

ભાવાર્થઃઆત્મા જ્ઞાની થયો ત્યારે વસ્તુનો એવો સ્વભાવ જાણ્યો કે ‘આત્મા પોતે તો શુદ્ધ જ છેદ્રવ્યદ્રષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે, પર્યાયદ્રષ્ટિએ પરદ્રવ્યના નિમિત્તથી રાગાદિરૂપે