Samaysar (Gujarati). Kalash: 177 Gatha: 281.

< Previous Page   Next Page >


Page 415 of 642
PDF/HTML Page 446 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

બંધ અધિકાર
૪૧૫
(अनुष्टुभ्)
इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः
रागादीनात्मनः कुर्यादतो भवति कारकः ।।१७७।।
रागम्हि य दोसम्हि य कसायकम्मेसु चेव जे भावा
तेहिं दु परिणमंतो रागादी बंधदि पुणो वि ।।२८१।।
रागे च द्वेषे च कषायकर्मसु चैव ये भावाः
तैस्तु परिणममानो रागादीन् बध्नाति पुनरपि ।।२८१।।

यथोक्तं वस्तुस्वभावमजानंस्त्वज्ञानी शुद्धस्वभावादासंसारं प्रच्युत एव, ततः कर्म- विपाकप्रभवै रागद्वेषमोहादिभावैः परिणममानोऽज्ञानी रागद्वेषमोहादिभावानां कर्ता भवन् बध्यत एवेति प्रतिनियमः


પરિણમે છે’; માટે હવે જ્ઞાની પોતે તે ભાવોનો કર્તા થતો નથી, ઉદયો આવે તેમનો જ્ઞાતા જ છે.

‘આવા વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી તેથી તે રાગાદિક ભાવોનો કર્તા થાય છે’ એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક હવે કહે છેઃ

શ્લોકાર્થઃ[इति स्वं वस्तुस्वभावं अज्ञानी न वेत्ति] એવા પોતાના વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી [तेन सः रागादीन् आत्मनः कुर्यात् ] તેથી તે રાગાદિકને (રાગાદિભાવોને) પોતાના કરે છે, [अतः कारकः भवति] તેથી (તેમનો) કર્તા થાય છે. ૧૭૭.

હવે આ અર્થની ગાથા કહે છેઃ

પણ રાગ-દ્વેષ-કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે,
તે-રૂપ જે પ્રણમે, ફરી તે બાંધતો રાગાદિને. ૨૮૧.

ગાથાર્થઃ[रागे च द्वेषे च कषायकर्मसु च एव] રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) [ये भावाः] જે ભાવો થાય છે [तैः तु] તે-રૂપે [परिणममानः] પરિણમતો અજ્ઞાની [रागादीन्] રાગાદિકને [पुनः अपि] ફરીને પણ [बध्नाति] બાંધે છે.

ટીકાઃયથોક્ત વસ્તુસ્વભાવને નહિ જાણતો અજ્ઞાની (પોતાના) શુદ્ધસ્વભાવથી અનાદિ સંસારથી માંડીને ચ્યુત જ છે તેથી કર્મના ઉદયથી ઉત્પન્ન થતા રાગદ્વેષમોહાદિ ભાવો- રૂપે પરિણમતો અજ્ઞાની રાગદ્વેષમોહાદિ ભાવોનો કર્તા થતો થકો (કર્મોથી) બંધાય જ છેએવો નિયમ છે.