Samaysar (Gujarati). Gatha: 298-299.

< Previous Page   Next Page >


Page 437 of 642
PDF/HTML Page 468 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

મોક્ષ અધિકાર
૪૩૭
पण्णाए घित्तव्वो जो दट्ठा सो अहं तु णिच्छयदो
अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ।।२९८।।
पण्णाए घित्तव्वो जो णादा सो अहं तु णिच्छयदो
अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ।।२९९।।
प्रज्ञया गृहीतव्यो यो द्रष्टा सोऽहं तु निश्चयतः
अवशेषा ये भावाः ते मम परा इति ज्ञातव्याः ।।२९८।।
प्रज्ञया गृहीतव्यो यो ज्ञाता सोऽहं तु निश्चयतः
अवशेषा ये भावाः ते मम परा इति ज्ञातव्याः ।।२९९।।

चेतनाया दर्शनज्ञानविकल्पानतिक्रमणाच्चेतयितृत्वमिव द्रष्टृत्वं ज्ञातृत्वं चात्मनः स्वलक्षणमेव ततोऽहं द्रष्टारमात्मानं गृह्णामि यत्किल गृह्णामि तत्पश्याम्येव; पश्यन्नेव पश्यामि,

પ્રજ્ઞાથી ગ્રહવોનિશ્ચયે જે દેખનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પરજાણવું. ૨૯૮.
પ્રજ્ઞાથી ગ્રહવોનિશ્ચયે જે જાણનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પરજાણવું. ૨૯૯.

ગાથાર્થઃ[प्रज्ञया] પ્રજ્ઞા વડે [गृहीतव्यः] એમ ગ્રહણ કરવો કે[यः द्रष्टा] જે દેખનારો છે [सः तु] તે [निश्चयतः] નિશ્ચયથી [अहम्] હું છું, [अवशेषाः] બાકીના [ये भावाः] જે ભાવો છે [ते] તે [मम पराः] મારાથી પર છે [इति ज्ञातव्याः] એમ જાણવું.

[प्रज्ञया] પ્રજ્ઞા વડે [गृहीतव्यः] એમ ગ્રહણ કરવો કે[यः ज्ञाता] જે જાણનારો છે [सः तु] તે [निश्चयतः] નિશ્ચયથી [अहम्] હું છું, [अवशेषाः] બાકીના [ये भावाः] જે ભાવો છે [ते] તે [मम पराः] મારાથી પર છે [इति ज्ञातव्याः] એમ જાણવું.

ટીકાઃચેતના દર્શનજ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહિ હોવાથી, ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે. માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું. ‘ગ્રહણ કરું છું’ એટલે ‘દેખું જ છું’; દેખતો જ (અર્થાત્ દેખતો થકો જ) દેખું છું, દેખતા