કહાનજૈનશાસ્ત્રમાળા ]
चेतनाया दर्शनज्ञानविकल्पानतिक्रमणाच्चेतयितृत्वमिव द्रष्टृत्वं ज्ञातृत्वं चात्मनः स्वलक्षणमेव । ततोऽहं द्रष्टारमात्मानं गृह्णामि । यत्किल गृह्णामि तत्पश्याम्येव; पश्यन्नेव पश्यामि,
ગાથાર્થઃ — [प्रज्ञया] પ્રજ્ઞા વડે [गृहीतव्यः] એમ ગ્રહણ કરવો કે — [यः द्रष्टा] જે દેખનારો છે [सः तु] તે [निश्चयतः] નિશ્ચયથી [अहम्] હું છું, [अवशेषाः] બાકીના [ये भावाः] જે ભાવો છે [ते] તે [मम पराः] મારાથી પર છે [इति ज्ञातव्याः] એમ જાણવું.
[प्रज्ञया] પ્રજ્ઞા વડે [गृहीतव्यः] એમ ગ્રહણ કરવો કે — [यः ज्ञाता] જે જાણનારો છે [सः तु] તે [निश्चयतः] નિશ્ચયથી [अहम्] હું છું, [अवशेषाः] બાકીના [ये भावाः] જે ભાવો છે [ते] તે [मम पराः] મારાથી પર છે [इति ज्ञातव्याः] એમ જાણવું.
ટીકાઃ — ચેતના દર્શનજ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહિ હોવાથી, ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે. માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું. ‘ગ્રહણ કરું છું’ એટલે ‘દેખું જ છું’; દેખતો જ (અર્થાત્ દેખતો થકો જ) દેખું છું, દેખતા