કહાનજૈનશાસ્ત્રમાળા ]
ગાથાર્થઃ — [यः] જે પુરુષ [स्तेयादीन् अपराधान्] ચોરી આદિ અપરાધો [करोति] કરે છે [सः तु] તે ‘[जने विचरन्] લોકમાં ફરતાં [मा] રખે [केन अपि] મને કોઈ [चौरः इति] ચોર જાણીને [बध्ये] બાંધશે – પકડશે’ એમ [शङ्कितः भ्रमति] શંકિત ફરે છે; [यः] જે પુરુષ [अपराधान्] અપરાધ [न करोति] કરતો નથી [सः तु] તે [जनपदे] લોકમાં [निश्शङ्कः भ्रमति] નિઃશંક ફરે છે, [यद्] કારણ કે [तस्य] તેને [बद्धुं चिन्ता] બંધાવાની ચિંતા [कदाचित् अपि] કદાપિ [न उत्पद्यते] ઊપજતી નથી. [एवम्] એવી રીતે [चेतयिता] અપરાધી આત્મા ‘[सापराधः अस्मि] હું અપરાધી છું [बध्ये तु अहम्] તેથી હું બંધાઈશ’ એમ [शङ्कितः] શંકિત હોય છે, [यदि पुनः] અને જો [निरपराधः] નિરપરાધી (આત્મા) હોય તો ‘[अहं न बध्ये] હું નહિ બંધાઉં’ એમ [निश्शङ्कः] નિઃશંક હોય છે.
ટીકાઃ — જેમ આ જગતમાં જે પુરુષ, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી