Samaysar (Gujarati). Gatha: 304-305.

< Previous Page   Next Page >


Page 444 of 642
PDF/HTML Page 475 of 673

 

૪૪૪

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

तं न करोति तस्य सा न सम्भवति; तथात्मापि य एवाशुद्धः सन् परद्रव्यग्रहणलक्षणमपराधं करोति तस्यैव बन्धशङ्का सम्भवति, यस्तु शुद्धः संस्तं न करोति तस्य सा न सम्भवतीति नियमः अतः सर्वथा सर्वपरकीयभावपरिहारेण शुद्ध आत्मा गृहीतव्यः, तथा सत्येव निरपराधत्वात्

को हि नामायमपराधः ?
संसिद्धिराधसिद्धं साधियमाराधियं च एयट्ठं
अवगदराधो जो खलु चेदा सो होदि अवराधो ।।३०४।।
जो पुण णिरावराधो चेदा णिस्संकिओ उ सो होइ
आराहणाइ णिच्चं वट्टेइ अहं ति जाणतो ।।३०५।।

નથી, તેમ આત્મા પણ જે અશુદ્ધ વર્તતો થકો, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે શુદ્ધ વર્તતો થકો અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથીએવો નિયમ છે. માટે સર્વથા સર્વ પારકા ભાવોના પરિહાર વડે (અર્થાત્ પરદ્રવ્યના સર્વ ભાવોને છોડીને) શુદ્ધ આત્માને ગ્રહણ કરવો, કારણ કે એમ થાય ત્યારે જ નિરપરાધપણું થાય છે.

ભાવાર્થઃજો માણસ ચોરી આદિ અપરાધ કરે તો તેને બંધનની શંકા થાય; નિરપરાધને શંકા શા માટે થાય? તેવી જ રીતે જો આત્મા પરદ્રવ્યના ગ્રહણરૂપ અપરાધ કરે તો તેને બંધની શંકા થાય જ; જો પોતાને શુદ્ધ અનુભવે, પરને ન ગ્રહે, તો બંધની શંકા શા માટે થાય? માટે પરદ્રવ્યને છોડી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું. ત્યારે જ નિરપરાધ થવાય છે.

હવે પૂછે છે કે આ ‘અપરાધ’ એટલે શું? તેના ઉત્તરમાં અપરાધનું સ્વરૂપ કહે છેઃ

સંસિદ્ધિ, સિદ્ધિ, રાધ, આરાધિત, સાધિતએક છે,
એ રાધથી જે રહિત છે તે આતમા અપરાધ છે; ૩૦૪.
વળી આતમા જે નિરપરાધી તે નિઃશંકિત હોય છે,
વર્તે સદા આરાધનાથી, જાણતો ‘હું’ આત્મને. ૩૦૫.