૪૪૮
यस्तावदज्ञानिजनसाधारणोऽप्रतिक्रमणादिः स शुद्धात्मसिद्धयभावस्वभावत्वेन स्वयमेवापराधत्वाद्विषकुम्भ एव; किं तस्य विचारेण ? यस्तु द्रव्यरूपः प्रतिक्रमणादिः
ગાથાર્થઃ — [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ, [प्रतिसरणम्] પ્રતિસરણ, [परिहारः] પરિહાર, [धारणा] ધારણા, [निवृत्तिः] નિવૃત્તિ, [निन्दा] નિંદા, [गर्हा] ગર્હા [च शुद्धिः] અને શુદ્ધિ — [अष्टविधः] એ આઠ પ્રકારનો [विषकुम्भः] વિષકુંભ [भवति] છે (કારણ કે એમાં કર્તાપણાની બુદ્ધિ સંભવે છે).
[अप्रतिक्रमणम्] અપ્રતિક્રમણ, [अप्रतिसरणम्] અપ્રતિસરણ, [अपरिहारः] અપરિહાર, [अधारणा] અધારણા, [अनिवृत्तिः च] અનિવૃત્તિ, [अनिन्दा] અનિંદા, [अगर्हा] અગર્હા [च एव] અને [अशुद्धिः] અશુદ્ધિ — [अमृतकुम्भः] એ અમૃતકુંભ છે (કારણ કે એમાં કર્તાપણાનો નિષેધ છે — કાંઈ કરવાનું જ નથી, માટે બંધ થતો નથી).
ટીકાઃ — પ્રથમ તો જે અજ્ઞાનીજનસાધારણ (અર્થાત્ અજ્ઞાની લોકોને સાધારણ એવાં) અપ્રતિક્રમણાદિ છે તેઓ તો શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવરૂપ સ્વભાવવાળાં હોવાને લીધે સ્વયમેવ અપરાધરૂપ હોવાથી વિષકુંભ જ છે; તેમનો વિચાર કરવાનું શું પ્રયોજન છે? (તેઓ