Samaysar (Gujarati). Gatha: 314-315.

< Previous Page   Next Page >


Page 461 of 642
PDF/HTML Page 492 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૬૧
जा एस पयडीअट्ठं चेदा णेव विमुंचए
अयाणओ हवे ताव मिच्छादिट्ठी असंजओ ।।३१४।।
जदा विमुंचए चेदा कम्मफलमणंतयं
तदा विमुत्तो हवदि जाणओ पासओ मुणी ।।३१५।।
यावदेष प्रकृत्यर्थं चेतयिता नैव विमुञ्चति
अज्ञायको भवेत्तावन्मिथ्याद्रष्टिरसंयतः ।।३१४।।
यदा विमुञ्चति चेतयिता कर्मफलमनन्तकम्
तदा विमुक्तो भवति ज्ञायको दर्शको मुनिः ।।३१५।।

यावदयं चेतयिता प्रतिनियतस्वलक्षणानिर्ज्ञानात् प्रकृतिस्वभावमात्मनो बन्धनिमित्तं न मुञ्चति, तावत्स्वपरयोरेकत्वज्ञानेनाज्ञायको भवति, स्वपरयोरेकत्वदर्शनेन मिथ्याद्रष्टि- र्भवति, स्वपरयोरेकत्वपरिणत्या चासंयतो भवति; तावदेव च परात्मनोरेकत्वाध्यासस्य करणात्कर्ता

ઉત્પાદ-વ્યય પ્રકૃતિનિમિત્તે જ્યાં લગી નહિ પરિતજે,
અજ્ઞાની, મિથ્યાત્વી, અસંયત ત્યાં લગી આ જીવ રહે; ૩૧૪.
આ આતમા જ્યારે કરમનું ફળ અનંતું પરિતજે,
જ્ઞાયક તથા દર્શક તથા મુનિ તેહ કર્મવિમુક્ત છે. ૩૧૫.

ગાથાર્થઃ[यावत्] જ્યાં સુધી [एषः चेतयिता] આ આત્મા [प्रकृत्यर्थं] પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વિણસવું [न एव विमुञ्चति] છોડતો નથી, [तावत्] ત્યાં સુધી તે [अज्ञायकः] અજ્ઞાયક છે, [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ છે, [असंयतः भवेत्] અસંયત છે.

[यदा] જ્યારે [चेतयिता] આત્મા [अनन्तक म् कर्मफलम्] અનંત કર્મફળને [विमुञ्चति] છોડે છે, [तदा] ત્યારે તે [ज्ञायकः] જ્ઞાયક છે, [दर्शकः] દર્શક છે, [मुनिः] મુનિ છે, [विमुक्तः भवति] વિમુક્ત (અર્થાત્ બંધથી રહિત) છે.

ટીકાઃજ્યાં સુધી આ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે, પ્રકૃતિના સ્વભાવનેકે જે પોતાને બંધનું નિમિત્ત છે તેનેછોડતો નથી, ત્યાં સુધી સ્વ-પરના એકત્વજ્ઞાનથી અજ્ઞાયક છે, સ્વપરના એકત્વદર્શનથી (એકત્વરૂપ શ્રદ્ધાનથી) મિથ્યાદ્રષ્ટિ છે અને સ્વપરની એકત્વપરિણતિથી અસંયત