કહાનજૈનશાસ્ત્રમાળા ]
यथेह बहिरर्थो घटपटादिः, देवदत्तो यज्ञदत्तमिव हस्ते गृहीत्वा, ‘मां प्रकाशय’ इति स्वप्रकाशने न प्रदीपं प्रयोजयति, न च प्रदीपोऽप्ययःकान्तोपलकृष्टायःसूचीवत् स्वस्थानात्प्रच्युत्य
[अशुभः वा शुभः स्पर्शः] અશુભ અથવા શુભ સ્પર્શ [त्वां न भणति] તને એમ નથી કહેતો કે [माम् स्पृश इति] ‘તું મને સ્પર્શ’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), [कायविषयम् आगतं स्पर्शम्] કાયાના ( – સ્પર્શેન્દ્રિયના) વિષયમાં આવેલા સ્પર્શને [विनिर्ग्रहीतुं न एति] ગ્રહવા જતો નથી.
[अशुभः वा शुभः गुणः] અશુભ અથવા શુભ ગુણ [त्वां न भणति] તને એમ નથી કહેતો કે [माम् बुध्यस्व इति] ‘તું મને જાણ’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), [बुद्धिविषयम् आगतं तु गुणम्] બુદ્ધિના વિષયમાં આવેલા ગુણને [विनिर्ग्रहीतुं न एति] ગ્રહવા જતો નથી.
[अशुभं वा शुभं द्रव्यं] અશુભ અથવા શુભ દ્રવ્ય [त्वां न भणति] તને એમ નથી કહેતું કે [माम् बुध्यस्व इति] ‘તું મને જાણ’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), [बुद्धिविषयम् आगतं द्रव्यम्] બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને [विनिर्ग्रहीतुं न एति] ગ્રહવા જતો નથી.
[एतत् तु ज्ञात्वा] આવું જાણીને પણ [मूढः] મૂઢ જીવ [उपशमं न एव गच्छति] ઉપશમને પામતો નથી; [च] અને [शिवाम् बुद्धिम् अप्राप्तः च स्वयं] શિવ બુદ્ધિને (કલ્યાણકારી બુદ્ધિને, સમ્યગ્જ્ઞાનને) નહિ પામેલો પોતે [परस्य विनिर्ग्रहमनाः] પરને ગ્રહવાનું મન કરે છે.
ટીકાઃ — પ્રથમ દ્રષ્ટાંત કહે છેઃ આ જગતમાં બાહ્યપદાર્થ — ઘટપટાદિ — , જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, દીવાને સ્વપ્રકાશનમાં