Samaysar (Gujarati). Kalash: 4.

< Previous Page   Next Page >


Page 27 of 642
PDF/HTML Page 58 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

પૂર્વરંગ
૨૭
(मालिनी)
उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के
जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः
सपदि समयसारं ते परं ज्योतिरुच्चै-
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव
।।४।।

છોડવારૂપ અણુવ્રત-મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુપ્તિ, પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવુંએવો વ્યવહારનયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. વ્યવહારનયને કથંચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યો છે; પણ જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડે અને શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ તો થઈ નથી, તેથી ઊલટો અશુભોપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છેએવો સ્યાદ્વાદમતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે.

એ અર્થનું કલશરૂપ કાવ્ય ટીકાકાર કહે છે

શ્લોકાર્થ[उभय-नय-विरोध-ध्वंसिनि] નિશ્ચય અને વ્યવહારએ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે; એ વિરોધને નાશ કરનારું [स्यात्-पद-अङ्के] ‘સ્યાત્’પદથી ચિહ્નિત [जिनवचसि] જે જિન ભગવાનનું વચન (વાણી) તેમાં [ये रमन्ते] જે પુરુષો રમે છે (-પ્રચુર પ્રીતિ સહિત અભ્યાસ કરે છે) [ते] તે પુરુષો [स्वयं] પોતાની મેળે (અન્ય કારણ વિના) [वान्तमोहाः] મિથ્યાત્વકર્મના ઉદયનું વમન કરીને [उच्चैः परं ज्योतिः समयसारं] આ અતિશયરૂપ પરમજ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને [सपदि] તુરત [ईक्षन्ते एव] દેખે જ છે. કેવો છે સમયસારરૂપ શુદ્ધ આત્મા? [अनवम्] નવીન ઉત્પન્ન થયો નથી, પહેલાં કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે. વળી કેવો છે? [अनय-पक्ष-अक्षुण्णम्] સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી, નિર્બાધ છે. વ્યવહારનયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે, પણ એમ સમજવું કે વ્યવહારોપદિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહારે કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી.