કહાનજૈનશાસ્ત્રમાળા ]
भुङ्क्ते फलानि न खलु स्वत एव तृप्तः ।
निष्कर्मशर्ममयमेति दशान्तरं सः ।।२३२।।
प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसञ्चेतनायाः
पूर्णं कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसञ्चेतनां स्वां
सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु ।।२३३।।
તે યોગ્ય જ છે; કારણ કે આ જ ભાવનાથી કેવળી થવાય છે. કેવળજ્ઞાન ઊપજવાનો પરમાર્થ ઉપાય આ જ છે. બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે; અને આના વિના વ્યવહારચારિત્ર શુભકર્મને બાંધે છે, મોક્ષનો ઉપાય નથી. ૨૩૧.
શ્લોકાર્થઃ — [पूर्व - भाव - कृत - कर्म - विषद्रुमाणां फलानि यः न भुङ्क्ते ] પૂર્વે અજ્ઞાનભાવથી કરેલાં જે કર્મ તે કર્મરૂપી વિષવૃક્ષોનાં ફળને જે પુરુષ (તેનો સ્વામી થઈને) ભોગવતો નથી અને [खलु स्वतः एव तृप्तः] ખરેખર પોતાથી જ ( – આત્મસ્વરૂપથી જ) તૃપ્ત છે, [सः आपात - काल - रमणीयम् उदर्क - रम्यम् निष्कर्म - शर्ममयम् दशान्तरम् एति] તે પુરુષ, જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ - સુખમય દશાંતરને પામે છે (અર્થાત્ જે પૂર્વે સંસાર-અવસ્થામાં કદી થઈ નહોતી એવી જુદા પ્રકારની કર્મરહિત સ્વાધીન સુખમય દશાને પામે છે).
ભાવાર્થઃ — જ્ઞાનચેતનાની ભાવનાનું આ ફળ છે. તે ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે છે — અન્ય તૃષ્ણા રહેતી નથી, અને ભવિષ્યમાં કેવળજ્ઞાન ઉપજાવી સર્વ કર્મથી રહિત મોક્ષ - અવસ્થાને પામે છે. ૨૩૨.
‘પૂર્વોક્ત રીતે કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગની ભાવના કરીને અજ્ઞાનચેતનાના પ્રલયને પ્રગટ રીતે નચાવીને, પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, જ્ઞાનચેતનાને નચાવતા થકા જ્ઞાની જનો સદાકાળ આનંદરૂપ રહો’ — એવા ઉપદેશનું કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [अविरतं कर्मणः तत्फलात् च विरतिम् अत्यन्तं भावयित्वा] જ્ઞાની જનો,