૫૬૬
विना कृतेरेकमनाकुलं ज्वलत् ।
विवेचितं ज्ञानमिहावतिष्ठते ।।२३४।।
અવિરતપણે કર્મથી અને કર્મના ફળથી વિરતિને અત્યંત ભાવીને (અર્થાત્ કર્મ અને કર્મફળ પ્રત્યે અત્યંત વિરક્તભાવને નિરંતર ભાવીને), [अखिल - अज्ञान-सञ्चेतनायाः प्रलयनम् प्रस्पष्टं नाटयित्वा] (એ રીતે) સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને, [स्व - रस - परिगतं स्वभावं पूर्णं कृत्वा] નિજરસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, [स्वां ज्ञानसञ्चेतनां सानन्दं नाटयन्तः इतः सर्व - कालं प्रशम - रसम् पिबन्तु] પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમરસને પીઓ (અર્થાત્ કર્મના અભાવરૂપ આત્મિક રસને – અમૃતરસને – અત્યારથી માંડીને અનંત કાળ પર્યંત પીઓ. આમ જ્ઞાનીજનોને પ્રેરણા છે).
ભાવાર્થઃ — પહેલાં તો ત્રણે કાળ સંબંધી કર્મના કર્તાપણારૂપ કર્મચેતનાના ત્યાગની ભાવના (૪૯ ભંગપૂર્વક) કરાવી. પછી ૧૪૮ કર્મપ્રકૃતિના ઉદયરૂપ કર્મફળના ત્યાગની ભાવના કરાવી. એ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનામાં પ્રવર્તવાનો ઉપદેશ કર્યો છે. એ જ્ઞાનચેતના સદા આનંદરૂપ — પોતાના સ્વભાવના અનુભવરૂપ — છે. તેને જ્ઞાનીજનો સદા ભોગવો — એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૨૩૩.
આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, તેથી જ્ઞાનને કર્તાભોક્તાપણાથી ભિન્ન બતાવ્યું; હવેની ગાથાઓમાં અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે. તે ગાથાઓની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इतः इह] અહીંથી હવે (આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં હવેની ગાથાઓમાં એમ કહે છે કે — ) [समस्त - वस्तु - व्यतिरेक - निश्चयात् विवेचितं ज्ञानम्] સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડે જુદું કરવામાં આવેલું જ્ઞાન, [पदार्थ - प्रथन - अवगुण्ठनात् कृतेः विना] પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી ( – અનેક પદાર્થો સાથે, જ્ઞેયજ્ઞાનસંબંધને લીધે, એક જેવું દેખાવાથી) ઉત્પન્ન થતી (અનેક પ્રકારની) ક્રિયા તેનાથી રહિત [एकम् अनाकुलं ज्वलत्] એક જ્ઞાનક્રિયામાત્ર, અનાકુળ ( – સર્વ આકુળતાથી રહિત) અને દેદીપ્યમાન વર્તતું થકું, [अवतिष्ठते] નિશ્ચળ રહે છે.