૫૭૮
ज्ञानं हि परद्रव्यं किञ्चिदपि न गृह्णाति न मुञ्चति च, प्रायोगिकगुणसामर्थ्यात् वैस्रसिकगुणसामर्थ्याद्वा ज्ञानेन परद्रव्यस्य गृहीतुं मोक्तुं चाशक्यत्वात् । परद्रव्यं च न ज्ञानस्यामूर्तात्मद्रव्यस्य मूर्तपुद्गलद्रव्यत्वादाहारः । ततो ज्ञानं नाहारकं भवति । अतो ज्ञानस्य देहो न शङ्कनीयः ।
ટીકાઃ — જ્ઞાન પરદ્રવ્યને કાંઈ પણ (જરા પણ) ગ્રહતું નથી તથા છોડતું નથી, કારણ કે પ્રાયોગિક (અર્થાત્ પર નિમિત્તથી થયેલા) ગુણના સામર્થ્યથી તેમ જ વૈસ્રસિક (અર્થાત્ સ્વાભાવિક) ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. વળી, (કર્મ - નોકર્માદિરૂપ) પરદ્રવ્ય જ્ઞાનનો — અમૂર્તિક આત્મદ્રવ્યનો — આહાર નથી, કારણ કે તે મૂર્તિક પુદ્ગલદ્રવ્ય છે; (અમૂર્તિકને મૂર્તિક આહાર હોય નહિ). તેથી જ્ઞાન આહારક નથી. માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી.
(અહીં ‘જ્ઞાન’ કહેવાથી ‘આત્મા’ સમજવો; કારણ કે, અભેદ વિવક્ષાથી લક્ષણમાં જ લક્ષ્યનો વ્યવહાર કરાય છે. આ ન્યાયે ટીકાકાર આચાર્યદેવ આત્માને જ્ઞાન જ કહેતા આવ્યા છે.)
ભાવાર્થઃ — જ્ઞાનસ્વરૂપ આત્મા અમૂર્તિક છે અને આહાર તો કર્મ - નોકર્મરૂપ પુદ્ગલમય મૂર્તિક છે; તેથી પરમાર્થે આત્માને પુદ્ગલમય આહાર નથી. વળી આત્માનો એવો જ સ્વભાવ છે કે તે પરદ્રવ્યને તો ગ્રહતો જ નથી; — સ્વભાવરૂપ પરિણમો કે વિભાવરૂપ પરિણમો, પોતાના જ પરિણામનાં ગ્રહણત્યાગ છે, પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ તો જરા પણ નથી.
આ રીતે આત્માને આહાર નહિ હોવાથી તેને દેહ જ નથી. આત્માને દેહ જ નહિ હોવાથી, પુદ્ગલમય દેહસ્વરૂપ લિંગ ( – વેષ, ભેખ, બાહ્ય ચિહ્ન) મોક્ષનું કારણ નથી — એવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [एवं शुद्धस्य ज्ञानस्य देहः एव न विद्यते] આમ શુદ્ધ જ્ઞાનને દેહ જ નથી; [ततः ज्ञातुः देहमयं लिङ्गं मोक्षकारणम् न] તેથી જ્ઞાતાને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી. ૨૩૮.