કહાનજૈનશાસ્ત્રમાળા ]
केचिद्द्रव्यलिङ्गमज्ञानेन मोक्षमार्गं मन्यमानाः सन्तो मोहेन द्रव्यलिङ्गमेवोपाददते । तदनुपपन्नम्; सर्वेषामेव भगवतामर्हद्देवानां, शुद्धज्ञानमयत्वे सति द्रव्यलिङ्गाश्रयभूत-
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [बहुप्रकाराणि] બહુ પ્રકારનાં [पाषण्डिलिङ्गानि वा] મુનિલિંગોને [गृहिलिङ्गानि वा] અથવા ગૃહીલિંગોને [गृहीत्वा] ગ્રહણ કરીને [मूढाः] મૂઢ (અજ્ઞાની) જનો [वदन्ति] એમ કહે છે કે ‘[इदं लिङ्गम्] આ (બાહ્ય) લિંગ [मोक्षमार्गः इति] મોક્ષમાર્ગ છે’.
[तु] પરંતુ [लिङ्गम्] લિંગ [मोक्षमार्गः न भवति] મોક્ષમાર્ગ નથી; [यत्] કારણ કે [अर्हन्तः] અર્હંતદેવો [देहनिर्ममाः] દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા [लिङ्गम् मुक्त्वा] લિંગને છોડીને [दर्शनज्ञानचारित्राणि सेवन्ते] દર્શન - જ્ઞાન - ચારિત્રને જ સેવે છે.
ટીકાઃ — કેટલાક લોકો અજ્ઞાનથી દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનતા થકા મોહથી દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે. તે ( – દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનીને ગ્રહણ કરવું તે) અનુપપન્ન અર્થાત્ અયુક્ત છે; કારણ કે બધાય ભગવાન અર્હંતદેવોને, શુદ્ધજ્ઞાનમયપણું હોવાને લીધે