કહાનજૈનશાસ્ત્રમાળા ]
ये खलु श्रमणोऽहं श्रमणोपासकोऽहमिति द्रव्यलिङ्गममकारेण मिथ्याहङ्कारं कुर्वन्ति, तेऽनादिरूढव्यवहारमूढाः प्रौढविवेकं निश्चयमनारूढाः परमार्थसत्यं भगवन्तं समयसारं न पश्यन्ति ।
હવે આ અર્થની ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [ये] જેઓ [बहुप्रकारेषु] બહુ પ્રકારનાં [पाषण्डिलिङ्गेषु वा] મુનિલિંગોમાં [गृहिलिङ्गेषु वा] અથવા ગૃહસ્થલિંગોમાં [ममत्वं कुर्वन्ति] મમતા કરે છે (અર્થાત્ આ દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે), [तैः समयसारः न ज्ञातः] તેમણે સમયસારને નથી જાણ્યો.
ટીકાઃ — જેઓ ખરેખર ‘હું શ્રમણ છું, હું શ્રમણોપાસક ( – શ્રાવક) છું’ એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિ કાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય ( – નિશ્ચયનય) પર ૧અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય ( – જે પરમાર્થે સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને દેખતા – અનુભવતા નથી.
ભાવાર્થઃ — અનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે ‘આ બાહ્ય મહાવ્રતાદિરૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે’, પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુુરુષો સત્યાર્થ, પરમાત્મરૂપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ — ૧. અનારૂઢ = નહિ આરૂઢ; નહિ ચડેલા.