Samaysar (Gujarati). Gatha: 413.

< Previous Page   Next Page >


Page 585 of 642
PDF/HTML Page 616 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૮૫
पासंडीलिंगेसु व गिहिलिंगेसु व बहुप्पयारेसु
कुव्वंति जे ममत्तिं तेहिं ण णादं समयसारं ।।४१३।।
पाषण्डिलिङ्गेषु वा गृहिलिङ्गेषु वा बहुप्रकारेषु
कुर्वन्ति ये ममत्वं तैर्न ज्ञातः समयसारः ।।४१३।।

ये खलु श्रमणोऽहं श्रमणोपासकोऽहमिति द्रव्यलिङ्गममकारेण मिथ्याहङ्कारं कुर्वन्ति, तेऽनादिरूढव्यवहारमूढाः प्रौढविवेकं निश्चयमनारूढाः परमार्थसत्यं भगवन्तं समयसारं न पश्यन्ति

હવે આ અર્થની ગાથા કહે છેઃ

બહુવિધનાં મુનિલિંગમાં અથવા ગૃહીલિંગો વિષે
મમતા કરે, તેણે નથી જાણ્યો ‘સમયના સાર’ને. ૪૧૩.

ગાથાર્થઃ[ये] જેઓ [बहुप्रकारेषु] બહુ પ્રકારનાં [पाषण्डिलिङ्गेषु वा] મુનિલિંગોમાં [गृहिलिङ्गेषु वा] અથવા ગૃહસ્થલિંગોમાં [ममत्वं कुर्वन्ति] મમતા કરે છે (અર્થાત્ આ દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે), [तैः समयसारः न ज्ञातः] તેમણે સમયસારને નથી જાણ્યો.

ટીકાઃજેઓ ખરેખર ‘હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (શ્રાવક) છું’ એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિ કાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (નિશ્ચયનય) પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય (જે પરમાર્થે સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને દેખતાઅનુભવતા નથી.

ભાવાર્થઃઅનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે ‘આ બાહ્ય મહાવ્રતાદિરૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે’, પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુુરુષો સત્યાર્થ, પરમાત્મરૂપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી.

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ ૧. અનારૂઢ = નહિ આરૂઢ; નહિ ચડેલા.

74