૫૮૬
ज्ञानमेकमिदमेव हि स्वतः ।।२४३।।
શ્લોકાર્થઃ — [व्यवहार - विमूढ - द्रष्टयः जनाः परमार्थं नो कलयन्ति] વ્યવહારમાં જ જેમની દ્રષ્ટિ ( – બુદ્ધિ) મોહિત છે એવા પુરુષો પરમાર્થને જાણતા નથી, [इह तुष - बोध - विमुग्ध - बुद्धयः तुषं कलयन्ति, न तण्डुलम्] જેમ જગતમાં ૧તુષના જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે ( – મોહ પામી છે) એવા પુરુષો તુષને જ જાણે છે, ૨તંડુલને જાણતા નથી.
ભાવાર્થઃ — જેઓ ફોતરાંમાં મુગ્ધ થઈ રહ્યા છે, ફોતરાંને જ કૂટ્યા કરે છે, તેમણે તંડુલને જાણ્યા જ નથી; તેવી રીતે જેઓ દ્રવ્યલિંગ આદિ વ્યવહારમાં મુગ્ધ થઈ રહ્યા છે (અર્થાત્ શરીરાદિની ક્રિયામાં મમત્વ કર્યા કરે છે), તેમણે શુદ્ધાત્મ-અનુભવનરૂપ પરમાર્થને જાણ્યો જ નથી; અર્થાત્ એવા જીવો શરીરાદિ પરદ્રવ્યને જ આત્મા જાણે છે, પરમાર્થ આત્માનું સ્વરૂપ તેઓ જાણતા જ નથી. ૨૪૨.
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [द्रव्यलिङ्ग - ममकार - मीलितैः समयसारः एव न द्रश्यते] જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડે અંધ – વિવેકરહિત છે, તેઓ સમયસારને જ દેખતા નથી; [यत् इह द्रव्यलिङ्गम् किल अन्यतः] કારણ કે આ જગતમાં દ્રવ્યલિંગ તો ખરેખર અન્યદ્રવ્યથી થાય છે, [इदम् ज्ञानम् एव हि एकम् स्वतः] આ જ્ઞાન જ એક પોતાથી (આત્મદ્રવ્યથી) થાય છે.
ભાવાર્થઃ — જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ વડે અંધ છે તેમને શુદ્ધાત્મદ્રવ્યનો અનુભવ જ નથી, કારણ કે તેઓ વ્યવહારને જ પરમાર્થ માનતા હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે. ૨૪૩. ૧. તુષ = ડાંગરનાં ફોતરાં; અનાજનાં ફોતરાં. ૨. તંડુલ = ફોતરાં વિનાના ચોખા; ફોતરાં વિનાનું અનાજ.