કહાનજૈનશાસ્ત્રમાળા ]
यः खलु श्रमणश्रमणोपासकभेदेन द्विविधं द्रव्यलिङ्गं भवति मोक्षमार्ग इति प्ररूपणप्रकारः स केवलं व्यवहार एव, न परमार्थः, तस्य स्वयमशुद्धद्रव्यानुभवनात्मकत्वे सति परमार्थत्वा- भावात्; यदेव श्रमणश्रमणोपासकविकल्पातिक्रान्तं द्रशिज्ञप्तिप्रवृत्तवृत्तिमात्रं शुद्धज्ञानमेवैकमिति निस्तुषसञ्चेतनं परमार्थः, तस्यैव स्वयं शुद्धद्रव्यानुभवनात्मकत्वे सति परमार्थत्वात् । ततो ये व्यवहारमेव परमार्थबुद्धया चेतयन्ते, ते समयसारमेव न सञ्चेतयन्ते; य एव परमार्थं परमार्थबुद्धया
‘વ્યવહારનય જ મુનિલિંગને અને શ્રાવકલિંગને — એ બન્ને લિંગોને મોક્ષમાર્ગ કહે છે, નિશ્ચયનય કોઈ લિંગને મોક્ષમાર્ગ કહેતો નથી’ — એમ હવે ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [व्यावहारिकः नयः पुनः] વ્યવહારનય [द्वे लिङ्गे अपि] બન્ને લિંગોને [मोक्षपथे भणति] મોક્ષમાર્ગમાં કહે છે (અર્થાત્ વ્યવહારનય મુનિલિંગ તેમ જ ગૃહીલિંગને મોક્ષમાર્ગ કહે છે); [निश्चयनयः] નિશ્ચયનય [सर्वलिङ्गानि] સર્વ લિંગોને (અર્થાત્ કોઈ પણ લિંગને) [मोक्षपथे न इच्छति] મોક્ષમાર્ગમાં ગણતો નથી.
ટીકાઃ — શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે બે પ્રકારનાં દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ છે — એવો જે પ્રરૂપણ - પ્રકાર (અર્થાત્ એવા પ્રકારની જે પ્રરૂપણા) તે કેવળ વ્યવહાર જ છે, પરમાર્થ નથી, કારણ કે તે (પ્રરૂપણા) પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે; શ્રમણ અને શ્રમણોપાસકના ભેદોથી અતિક્રાંત, દર્શનજ્ઞાનમાં પ્રવૃત્ત પરિણતિમાત્ર ( – માત્ર દર્શન - જ્ઞાનમાં પ્રવર્તેલી પરિણતિરૂપ) શુદ્ધ જ્ઞાન જ એક છે — એવું જે નિસ્તુષ ( – નિર્મળ) અનુભવન તે પરમાર્થ છે, કારણ કે તે (અનુભવન) પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવન- સ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે. માટે જેઓ વ્યવહારને જ પરમાર્થબુદ્ધિથી ( – પરમાર્થ માનીને) અનુભવે છે, તેઓ સમયસારને જ નથી અનુભવતા; જેઓ પરમાર્થને પરમાર્થબુદ્ધિથી