કહાનજૈનશાસ્ત્રમાળા ]
यः खलु समयसारभूतस्य भगवतः परमात्मनोऽस्य विश्वप्रकाशकत्वेन विश्व-
समयस्य प्रतिपादनात् स्वयं शब्दब्रह्मायमाणं शास्त्रमिदमधीत्य, विश्वप्रकाशनसमर्थ- परमार्थभूतचित्प्रकाशरूपमात्मानं निश्चिन्वन् अर्थतस्तत्त्वतश्च परिच्छिद्य, अस्यैवार्थभूते भगवति एकस्मिन् पूर्णविज्ञानघने परमब्रह्मणि सर्वारम्भेण स्थास्यति चेतयिता, स साक्षात्तत्क्षण-
પરમાત્માને, સમયસારને) પ્રત્યક્ષ કરતું [इदम् एकम् अक्षयं जगत्-चक्षुः] આ એક ( – અદ્વિતીય) અક્ષય જગત - ચક્ષુ ( – સમયપ્રાભૃત) [पूर्णताम् याति] પૂર્ણતાને પામે છે.
ભાવાર્થઃ — આ સમયપ્રાભૃત ગ્રંથ વચનરૂપે તેમ જ જ્ઞાનરૂપે — બન્ને પ્રકારે જગતને અક્ષય (અર્થાત્ જેનો વિનાશ ન થાય એવું) અદ્વિતીય નેત્ર સમાન છે, કારણ કે જેમ નેત્ર ઘટપટાદિને પ્રત્યક્ષ દેખાડે છે તેમ સમયપ્રાભૃત આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવગોચર દેખાડે છે. ૨૪૫.
હવે ભગવાન કુંદકુંદાચાર્યદેવ આ ગ્રંથને પૂર્ણ કરે છે તેથી તેના મહિમારૂપે તેના અભ્યાસ વગેરેનું ફળ ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [यः चेतयिता] જે આત્મા ( – ભવ્ય જીવ) [इदं समयप्राभृतम् पठित्वा] આ સમયપ્રાભૃતને ભણીને, [अर्थतत्त्वतः ज्ञात्वा] અર્થ અને તત્ત્વથી જાણીને, [अर्थे स्थास्यति] તેના અર્થમાં સ્થિત થશે, [सः] ते [उत्तमं सौख्यम् भविष्यति] ઉત્તમ સૌખ્યસ્વરૂપ થશે.
ટીકાઃ — સમયસારભૂત આ ભગવાન પરમાત્માનું — કે જે વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે તેનું — પ્રતિપાદન કરતું હોવાથી જે પોતે શબ્દબ્રહ્મ સમાન છે એવા આ શાસ્ત્રને જે આત્મા ખરેખર ભણીને, વિશ્વને પ્રકાશવામાં સમર્થ એવા પરમાર્થભૂત, ચૈતન્ય - પ્રકાશરૂપ આત્માનો નિશ્ચય કરતો થકો (આ શાસ્ત્રને) અર્થથી અને તત્ત્વથી જાણીને, તેના જ અર્થભૂત