Samaysar (Gujarati). Kalash: 249 2.

< Previous Page   Next Page >


Page 598 of 642
PDF/HTML Page 629 of 673

 

૫૯૮

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(शार्दूलविक्रीडित)
विश्वं ज्ञानमिति प्रतर्क्य सकलं द्रष्टवा स्वतत्त्वाशया
भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छन्दमाचेष्टते
यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददर्शी पुन-
र्विश्वाद्भिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत्
।।२४९।।

[उज्झित - निज - प्रव्यक्ति - रिक्तीभवत्] પોતાની વ્યક્તિને (પ્રગટતાને) છોડી દેવાથી ખાલી (શૂન્ય) થઈ ગયેલું, [परितः पररूपे एव विश्रान्तं] સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત (અર્થાત્ પરરૂપ ઉપર જ આધાર રાખતું) એવું [पशोः ज्ञानं] પશુનું જ્ઞાન (તિર્યંચ જેવા એકાંતવાદીનું જ્ઞાન) [सीदति] નાશ પામે છે; [स्याद्वादिनः तत् पुनः] અને સ્યાદ્વાદીનું જ્ઞાન તો, [‘यत् तत् तत् इह स्वरूपतः तत्’ इति] ‘જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે (અર્થાત્ દરેક તત્ત્વનેવસ્તુને સ્વરૂપથી તત્પણું છે)’ એવી માન્યતાને લીધે, [दूर - उन्मग्न - घन - स्वभाव - भरतः] અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘનરૂપ સ્વભાવના ભારથી, [पूर्णं समुन्मज्जति] સંપૂર્ણ ઉદિત (પ્રગટ) થાય છે.

ભાવાર્થઃકોઈ સર્વથા એકાંતી તો એમ માને છે કેઘટજ્ઞાન ઘટના આધારે જ થાય છે માટે જ્ઞાન સર્વ પ્રકારે જ્ઞેયો પર જ આધાર રાખે છે. આવું માનનાર એકાંતવાદીના જ્ઞાનને તો જ્ઞેયો પી ગયાં, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું. સ્યાદ્વાદી તો એમ માને છે કેજ્ઞાન પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ જ (જ્ઞાનસ્વરૂપ જ) છે, જ્ઞેયાકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું નથી. આવી યથાર્થ અનેકાંત સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાન (અર્થાત્ જ્ઞાનસ્વરૂપ આત્મા) પ્રગટ પ્રકાશે છે.

આ પ્રમાણે સ્વરૂપથી તત્પણાનો ભંગ કહ્યો. ૨૪૮.

(હવે બીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ)

શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [‘विश्वं ज्ञानम्’ इति प्रतर्क्य] ‘વિશ્વ જ્ઞાન છે (અર્થાત્ સર્વ જ્ઞેયપદાર્થો આત્મા છે)’ એમ વિચારીને [सकलं स्वतत्त्व आशया द्रष्टवा] ૭સર્વને (સમસ્ત વિશ્વને) નિજતત્ત્વની આશાથી દેખીને [विश्वमयः भूत्वा] વિશ્વમય (સમસ્ત જ્ઞેયપદાર્થમય) થઈને, [पशुः इव स्वच्छन्दम् आचेष्टते] ઢોરની માફક સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છેવર્તે છે; [पुनः] અને [स्याद्वाददर्शी] સ્યાદ્વાદદર્શી તો (સ્યાદ્વાદનો દેખનાર તો), [‘यत् तत् तत् पररूपतः न तत्’ इति] ‘જે તત્ છે તે પરરૂપથી તત્ નથી (અર્થાત્ દરેક તત્ત્વને સ્વરૂપથી તત્પણું હોવા છતાં પરરૂપથી અતત્પણું છે)’ એમ માનતો હોવાથી, [विश्वात् भिन्नम् अविश्व - विश्वघटितं] વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી (વિશ્વના નિમિત્તથી)