કહાનજૈનશાસ્ત્રમાળા ]
ज्ज्ञेयाकारविशीर्णशक्तिरभितस्त्रुटयन्पशुर्नश्यति ।
न्नेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकान्तवित् ।।२५०।।
રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહિ એવા (અર્થાત્ સમસ્ત જ્ઞેય વસ્તુઓના આકારે થવા છતાં સમસ્ત જ્ઞેયવસ્તુથી ભિન્ન એવા) [तस्य स्वतत्त्वं स्पृशेत्] પોતાના નિજતત્ત્વને સ્પર્શે છે — અનુભવે છે.
ભાવાર્થઃ — એકાંતવાદી એમ માને છે કે — વિશ્વ ( – સમસ્ત વસ્તુઓ) જ્ઞાનરૂપ અર્થાત્ પોતારૂપ છે. આ રીતે પોતાને અને વિશ્વને અભિન્ન માનીને, પોતાને વિશ્વમય માનીને, એકાંતવાદી, ઢોરની જેમ હેય-ઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. સ્યાદ્વાદી તો એમ માને છે કે — જે વસ્તુ પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે, તે જ વસ્તુ પરના સ્વરૂપથી અતત્સ્વરૂપ છે; માટે જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે, પરંતુ પર જ્ઞેયોના સ્વરૂપથી અતત્સ્વરૂપ છે અર્થાત્ પર જ્ઞેયોના આકારે થવા છતાં તેમનાથી ભિન્ન છે.
આ પ્રમાણે પરરૂપથી અતત્પણાનો ભંગ કહ્યો. ૨૪૯.
(હવે ત્રીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ — )
શ્લોકાર્થઃ — [पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [बाह्य - अर्थ-ग्रहण - स्वभाव - भरतः] બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાના (જ્ઞાનના) સ્વભાવની અતિશયતાને લીધે, [विष्वग् - विचित्र - उल्लसत् - ज्ञेयाकार - विशीर्ण - शक्तिः] ચારે તરફ (સર્વત્ર) પ્રગટ થતા અનેક પ્રકારના જ્ઞેયાકારોથી જેની શક્તિ વિશીર્ણ થઈ ગઈ છે એવો થઈને (અર્થાત્ અનેક જ્ઞેયોના આકારો જ્ઞાનમાં જણાતાં જ્ઞાનની શક્તિને છિન્નભિન્ન – ખંડખંડરૂપ – થઈ જતી માનીને) [अभितः त्रुटयन्] સમસ્તપણે તૂટી જતો થકો (અર્થાત્ ખંડખંડરૂપ – અનેકરૂપ – થઈ જતો થકો) [नश्यति] નાશ પામે છે; [अनेकान्तवित्] અને અનેકાંતનો જાણનાર તો, [सदा अपि उदितया एक - द्रव्यतया] સદાય ઉદિત ( – પ્રકાશમાન) એકદ્રવ્યપણાને લીધે [भेदभ्रमं ध्वंसयन्] ભેદના ભ્રમને નષ્ટ કરતો થકો (અર્થાત્ જ્ઞેયોના ભેદે જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય છે એવા ભ્રમનો નાશ કરતો થકો), [एकम् अबाधित - अनुभवनं ज्ञानम्] જે એક છે ( – સર્વથા અનેક નથી) અને જેનું અનુભવન નિર્બાધ છે એવા જ્ઞાનને [पश्यति] દેખે છે — અનુભવે છે.