૬૦૦
न्नेकाकारचिकीर्षया स्फु टमपि ज्ञानं पशुर्नेच्छति ।
पर्यायैस्तदनेकतां परिमृशन् पश्यत्यनेकान्तवित् ।।२५१।।
ભાવાર્થઃ — જ્ઞાન છે તે જ્ઞેયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે, તેથી સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેક – ખંડખંડરૂપ – દેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે; અને સ્યાદ્વાદી તો જ્ઞાનને, જ્ઞેયાકાર થવા છતાં, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક દેખે છે.
આ પ્રમાણે એકપણાનો ભંગ કહ્યો. ૨૫૦. (હવે ચોથા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ — )
શ્લોકાર્થઃ — [पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ज्ञेयाकारकलङ्क - मेचक - चिति प्रक्षालनं कल्पयन्] જ્ઞેયાકારોરૂપી કલંકથી (અનેકાકારરૂપ) મલિન એવા ચેતનમાં પ્રક્ષાલન કલ્પતો થકો (અર્થાત્ ચેતનની અનેકાકારરૂપ મલિનતાને ધોઈ નાખવાનું કલ્પતો થકો), [एकाकार - चिकीर्षया स्फु टम् अपि ज्ञानं न इच्छति] એકાકાર કરવાની ઇચ્છાથી જ્ઞાનને — જોકે તે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તોપણ — ઇચ્છતો નથી (અર્થાત્ જ્ઞાનને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે); [अनेकान्तवित्] અને અનેકાંતનો જાણનાર તો, [पर्यायैः तद्-अनेकतां परिमृशन्] પર્યાયોથી જ્ઞાનની અનેકતા જાણતો (અનુભવતો) થકો, [वैचित्र्ये अपि अविचित्रताम् उपगतं ज्ञानं] વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત (અર્થાત્ અનેકરૂપ છતાં એકરૂપ) એવા જ્ઞાનને [स्वतःक्षालितं] સ્વતઃક્ષાલિત (સ્વયમેવ ધોયેલું – શુદ્ધ) [पश्यति] અનુભવે છે.
ભાવાર્થઃ — એકાંતવાદી જ્ઞેયાકારરૂપ (અનેકાકારરૂપ) જ્ઞાનને મલિન જાણી, તેને ધોઈને — તેમાંથી જ્ઞેયાકારો દૂર કરીને, જ્ઞાનને જ્ઞેયાકારો રહિત એક - આકારરૂપ કરવા ઇચ્છતો થકો, જ્ઞાનનો નાશ કરે છે; અને અનેકાંતી તો સત્યાર્થ વસ્તુસ્વભાવને જાણતો હોવાથી, જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકારપણું માને છે.
આ પ્રમાણે અનેકપણાનો ભંગ કહ્યો. ૨૫૧. (હવે પાંચમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ — )