Samaysar (Gujarati). Kalash: 258-259 11,12.

< Previous Page   Next Page >


Page 605 of 642
PDF/HTML Page 636 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

પરિશિષ્ટ
૬૦૫
(शार्दूलविक्रीडित)
विश्रान्तः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु
नश्यत्येव पशुः स्वभावमहिमन्येकान्तनिश्चेतनः
सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन्
स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः
।।२५८।।
(शार्दूलविक्रीडित)
अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः
सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति
स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरा-
दारूढः परभावभावविरहव्यालोकनिष्कम्पितः
।।२५९।।
(હવે અગિયારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ)

શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [परभाव - भाव-कलनात्] પરભાવોના *ભવનને જ જાણતો હોવાથી, (એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી,) [नित्यं बहिः-वस्तुषु विश्रान्तः] સદાય બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો, [स्वभाव - महिमनि एकान्त - निश्चेतनः] (પોતાના) સ્વભાવના મહિમામાં અત્યંત નિશ્ચેતન (જડ) વર્તતો થકો, [नश्यति एव] નાશ પામે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો [नियत - स्वभाव - भवन - ज्ञानात् सर्वस्मात् विभक्तः भवन्] (પોતાના) નિયત સ્વભાવના ભવનસ્વરૂપ જ્ઞાનને લીધે સર્વથી (સર્વ પરભાવોથી) ભિન્ન વર્તતો થકો, [सहज - स्पष्टीकृत - प्रत्ययः] જેણે સહજ સ્વભાવનું પ્રતીતિરૂપ જાણપણું સ્પષ્ટપ્રત્યક્ષઅનુભવરૂપ કર્યું છે એવો થયો થકો, [नाशम् एति न] નાશ પામતો નથી.

ભાવાર્થઃએકાંતવાદી પરભાવોથી જ પોતાનું સત્પણું માનતો હોવાથી બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો આત્માનો નાશ કરે છે; અને સ્યાદ્વાદી તો, જ્ઞાનભાવ જ્ઞેયાકાર થવા છતાં જ્ઞાનભાવનું સ્વભાવથી અસ્તિત્વ જાણતો થકો, આત્માનો નાશ કરતો નથી.

આ પ્રમાણે સ્વ - ભાવની (પોતાના ભાવની) અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૮.

(હવે બારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ)

શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ અજ્ઞાની એકાંતવાદી, [सर्व - भाव - भवनं आत्मनि अध्यास्य * ભવન = અસ્તિત્વ; પરિણમન.