Samaysar (Gujarati). Kalash: 261 14.

< Previous Page   Next Page >


Page 607 of 642
PDF/HTML Page 638 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

પરિશિષ્ટ
૬૦૭
(शार्दूलविक्रीडित)
टङ्कोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया
वाञ्छत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किञ्चन
ज्ञानं नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्ज्वलं
स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात्
।।२६१।।

અનિત્ય પર્યાયો દ્વારા આત્માને સર્વથા અનિત્ય માનતો થકો, પોતાને નષ્ટ કરે છે; અને સ્યાદ્વાદી તો, જોકે જ્ઞાન જ્ઞેયો અનુસાર ઊપજે - વિણસે છે તોપણ, ચૈતન્યભાવનો નિત્ય ઉદય અનુભવતો થકો જીવે છેનાશ પામતો નથી.

આ પ્રમાણે નિત્યત્વનો ભંગ કહ્યો. ૨૬૦.
(હવે ચૌદમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ
)

શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [टङ्कोत्कीर्ण - विशुद्धबोध - विसर - आकार - आत्म - तत्त्व - आशया] ટંકોત્કીર્ણ વિશુદ્ધ જ્ઞાનના ફેલાવરૂપ એક-આકાર (સર્વથા નિત્ય) આત્મતત્ત્વની આશાથી, [उच्छलत् - अच्छ - चित्परिणतेः भिन्नं किञ्चन वाञ्छति] ઊછળતી નિર્મળ ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક (આત્મતત્ત્વને) ઇચ્છે છે (પરંતુ એવું કોઈ આત્મતત્ત્વ છે નહિ); [स्याद्वादी] અને સ્યાદ્વાદી તો, [चिद् - वस्तु - वृत्ति - क्रमात् तद् - अनित्यतां परिमृशन्] ચૈતન્યવસ્તુની વૃત્તિના (પરિણતિના, પર્યાયના) ક્રમ દ્વારા તેની અનિત્યતાને અનુભવતો થકો, [नित्यम् ज्ञानं अनित्यतापरिगमे अपि उज्ज्वलम् आसादयति] નિત્ય એવા જ્ઞાનને અનિત્યતાથી વ્યાપ્ત છતાં ઉજ્જ્વળ (નિર્મળ) માને છેઅનુભવે છે.

ભાવાર્થઃએકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકારનિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી, ઊપજતી - વિણસતી ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક જ્ઞાનને ઇચ્છે છે; પરંતુ પરિણામ સિવાય જુદો કોઈ પરિણામી તો હોતો નથી. સ્યાદ્વાદી તો એમ માને છે કેજોકે દ્રવ્યે જ્ઞાન નિત્ય છે તોપણ ક્રમશઃ ઊપજતી - વિણસતી ચૈતન્યપરિણતિના ક્રમને લીધે જ્ઞાન અનિત્ય પણ છે; એવો જ વસ્તુસ્વભાવ છે.

આ પ્રમાણે અનિત્યત્વનો ભંગ કહ્યો. ૨૬૧. ‘પૂર્વોક્ત રીતે અનેકાંત, અજ્ઞાનથી મૂઢ થયેલા જીવોને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરી દે છેસમજાવી દે છે’ એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છેઃ