Samaysar (Gujarati). Kalash: 276.

< Previous Page   Next Page >


Page 625 of 642
PDF/HTML Page 656 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

પરિશિષ્ટ
૬૨૫
(मालिनी)
अविचलितचिदात्मन्यात्मनात्मानमात्म-
न्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहम्
उदितममृतचन्द्रज्योतिरेतत्समन्ता-
ज्ज्वलतु विमलपूर्णं निःसपत्नस्वभावम्
।।२७६।।

ઝળકતા હોવાથી જે અનેક જ્ઞેયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દ્રષ્ટિમાં જે એકસ્વરૂપ જ છે), [स्व - रस - विसर-पूर्ण - अच्छिन्न - तत्त्व - उपलम्भः] જેમાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્ત્વ - ઉપલબ્ધિ છે (અર્થાત્ પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ - અનુભવનનો અભાવ થતો નથી) અને [प्रसभ - नियमित - अर्चिः] અત્યંત નિયમિત જેની જ્યોત છે (અર્થાત્ અનંત વીર્યથી જે નિષ્કંપ રહે છે) [एषः चित् - चमत्कारः जयति] એવો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે (કોઈથી બાધિત ન કરી શકાય એમ સર્વોત્કૃષ્ટપણે વર્તે છે).

(અહીં ‘ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે’ એમ કહેવામાં જે ચૈતન્યચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું બતાવ્યું, તે જ મંગળ છે.) ૨૭૫.

હવેના કાવ્યમાં ટીકાકાર આચાર્યદેવ પૂર્વોક્ત આત્માને આશીર્વાદ આપે છે અને સાથે સાથે પોતાનું નામ પણ પ્રગટ કરે છેઃ

શ્લોકાર્થઃ[अविचलित - चिदात्मनि आत्मनि आत्मानम् आत्मना अनवरत - निमग्नं धारयत्] જે અચળ - ચેતનાસ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ અનવરતપણે (નિરંતર) નિમગ્ન રાખે છે (અર્થાત્ પ્રાપ્ત કરેલા સ્વભાવને કદી છોડતી નથી), [ध्वस्त - मोहम्] જેણે મોહનો (અજ્ઞાન -અંધકારનો) નાશ કર્યો છે, [निःसपत्नस्वभावम्] જેનો સ્વભાવ નિઃસપત્ન (અર્થાત્ પ્રતિપક્ષી કર્મો વિનાનો) છે, [विमल - पूर्णं] જે નિર્મળ છે અને જે પૂર્ણ છે એવી [एतत् उदितम् अमृतचन्द्र - ज्योतिः] આ ઉદય પામેલી અમૃતચંદ્રજ્યોતિ (અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ, જ્ઞાન, આત્મા) [समन्तात् ज्वलतु] સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો.

ભાવાર્થઃજેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે; વળી જે અત્યંત સ્વાદિષ્ટ (મીઠું) હોય તેને લોકો રૂઢિથી અમૃત કહે છે. અહીં જ્ઞાનનેઆત્માને અમૃતચંદ્રજ્યોતિ (અર્થાત્ અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ) કહેલ છે, તે લુપ્તોપમા અલંકારથી કહ્યું જાણવું; કારણ કે ‘अमृतचन्द्रवत् ज्योतिः’નો સમાસ કરતાં ‘वत्’નો લોપ થઈ ‘अमृतचन्द्रज्योतिः’ થાય છે.

79