जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि ।
तो तं अणुचरदि पुणो अत्थत्थीओ पयत्तेण ।।१७।।
एवं हि जीवराया णादव्वो तह य सद्दहेदव्वो ।
अणुचरिदव्वो य पुणो सो चेव दु मोक्खकामेण ।।१८।।
यथा नाम कोऽपि पुरुषो राजानं ज्ञात्वा श्रद्दधाति ।
ततस्तमनुचरति पुनरर्थार्थिकः प्रयत्नेन ।।१७।।
एवं हि जीवराजो ज्ञातव्यस्तथैव श्रद्धातव्यः ।
अनुचरितव्यश्च पुनः स चैव तु मोक्षकामेन ।।१८।।
તો બસ થાઓ. [साध्यसिद्धिः] સાધ્ય આત્માની સિદ્ધિ તો [दर्शन-ज्ञान-चारित्रैः] દર્શન, જ્ઞાન ને
ચારિત્ર — એ ત્રણ ભાવોથી જ છે, [न च अन्यथा] બીજી રીતે નથી (એ નિયમ છે).
ભાવાર્થઃ — આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય
છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ માત્ર કર્યા કરવાથી તે સાધ્ય સિદ્ધ
થતું નથી; પરંતુ દર્શન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ
જાણપણું અને ચારિત્ર અર્થાત્ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા — તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય
છે. આ જ મોક્ષમાર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
વ્યવહારી લોકો પર્યાયમાં – ભેદમાં સમજે છે તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી
સમજાવ્યું છે. ૧૯.
હવે, આ જ પ્રયોજનને બે ગાથાઓમાં દ્રષ્ટાંતથી કહે છેઃ —
જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે,
પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭.
જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮.
ગાથાર્થઃ — [यथा नाम] જેમ [कः अपि] કોઈ [अर्थार्थिकः पुरुषः] ધનનો અર્થી પુરુષ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૪૯
7