Samaysar Kalash Tika (Gujarati). Shlok: 15-16.

< Previous Page   Next Page >


Page 18 of 269
PDF/HTML Page 40 of 291

 

૧૮

સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

પરિણતિ સમાન જેનો સ્વભાવ છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે લવણની કાંકરી સર્વાંગેય ક્ષાર છે તેવી રીતે ચેતનદ્રવ્ય સર્વાંગેય ચેતન છે. ૧૪.

(અનુષ્ટુપ)
एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः
साध्यसाधकभावेन द्विधैकः समुपास्यताम् ।।१५।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘सिद्धिमभीप्सुभिः एषः आत्मा नित्यम् समुपास्यताम्’’ (सिद्धिम्) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષને (अभीप्सुभिः) ઉપાદેયપણે અનુભવનારા જીવોએ (एषः आत्मा) આ આત્માને અર્થાત્ ઉપાદેય એવા પોતાના શુદ્ધ ચૈતન્યદ્રવ્યને (नित्यम्) સદા કાળ (समुपास्यताम्) અનુભવવો. કેવો છે આત્મા? ‘‘ज्ञानघनः’’ (ज्ञान) સ્વ-પરગ્રાહકશક્તિનો (घनः) પુંજ છે. વળી કેવો છે? ‘‘एकः’’ સમસ્ત વિકલ્પ રહિત છે. વળી કેવો છે? ‘‘साध्यसाधकभावेन द्विधा’’ (साध्य) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ, (साधक) મોક્ષનું કારણ શુદ્ધોપયોગલક્ષણ શુદ્ધાત્માનુભવ (भावेन) એવી જે બે અવસ્થા, તેમના ભેદથી, (द्विधा) બે પ્રકારનો છે. ભાવાર્થ આમ છે કે એક જ જીવદ્રવ્ય કારણરૂપ પણ પોતામાં જ પરિણમે છે અને કાર્યરૂપ પણ પોતામાં જ પરિણમે છે, તેથી મોક્ષ જવામાં કોઈ દ્રવ્યાન્તરનો સહારો નથી, માટે શુદ્ધ આત્માનો અનુભવ કરવો જોઈએ. ૧૫.

(અનુષ્ટુપ)
दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयम्
मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः ।।१६।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘आत्मा मेचकः’’ (आत्मा) ચેતનદ્રવ્ય (मेचकः) મલિન છે. કોની અપેક્ષાએ મલિન છે? ‘‘दर्शन-ज्ञान-चारित्रैस्त्रित्वात्’’ સામાન્યપણે અર્થગ્રાહક શક્તિનું નામ દર્શન છે, વિશેષપણે અર્થગ્રાહક શક્તિનું નામ જ્ઞાન છે અને શુદ્ધત્વશક્તિનું નામ ચારિત્ર છેઆમ શક્તિભેદ કરતાં એક જીવ ત્રણ પ્રકારે થાય છે, તેથી મલિન કહેવાનો વ્યવહાર છે. ‘‘आत्मा अमेचकः’’ (आत्मा) ચેતનદ્રવ્ય (अमेचकः) નિર્મળ છે; કોની અપેક્ષાએ નિર્મળ છે? ‘‘स्वयम् एकत्वतः’’ (स्वयम्) દ્રવ્યનું