૬૮ ]
स्वरूपगुप्ता निवसन्ति नित्यम् ।
स्त एव साक्षादमृतं पिबन्ति ।।२४-६९।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ये एव नित्यम् स्वरूपगुप्ताः निवसन्ति ते एव साक्षात् अमृतं पिबन्ति’’ (ये एव) જે કોઈ જીવ (नित्यम्) નિરન્તર (स्वरूप) શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુમાં (गुप्ताः) તન્મય થયા છે — (निवसन्ति) એવા થઈને રહે છે (ते एव) તે જ જીવો (साक्षात् अमृतं) અતીન્દ્રિય સુખનો (पिबन्ति) આસ્વાદ કરે છે. શું કરીને? ‘‘नयपक्षपातं मुक्त्वा’’ (नय) દ્રવ્ય-પર્યાયરૂપ વિકલ્પબુદ્ધિ તેના (पक्षपातं) એક પક્ષરૂપ અંગીકારને (मुक्त्वा) છોડીને. કેવા છે તે જીવ? ‘‘विकल्पजालच्युतशान्तचित्ताः’’ (विकल्पजाल) એક સત્ત્વનો અનેકરૂપ વિચાર તેનાથી (च्युत) રહિત થયું છે (शान्तचित्ताः) નિર્વિકલ્પ સમાધાનરૂપ મન જેમનું, એવા છે. ભાવાર્થ આમ છે કે – એક સત્ત્વરૂપ વસ્તુ છે તેને, દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ વિચારતાં વિકલ્પ થાય છે, તે વિકલ્પ થતાં મન આકુળ થાય છે, આકુળતા દુઃખ છે; તેથી વસ્તુમાત્ર અનુભવતાં વિકલ્પ મટે છે, વિકલ્પ મટતાં આકુળતા મટે છે, આકુળતા મટતાં દુઃખ મટે છે. તેથી અનુભવશીલ જીવ પરમ સુખી છે. ૨૪ – ૬૯.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।२५-७०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘चिति द्वयोः इति द्वौ पक्षपातौ’’ (चिति)