Samyak Darshan Part 7 8 (Gujarati). Lekhak no Parichay.

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 250

 

background image
પ્રગટ થઈ છે. જે નવી નવી આવૃત્તિઓ સાથે આપણા જ્ઞાનભંડારને
સમૃદ્ધ કરે છે.
બ્ર. હરિભાઈ દેશના ઉત્તમકક્ષાના સિદ્ધહસ્ત લેખક હતા. તેઓ
દરેક પ્રકારોના સાહિત્યમાં સિદ્ધહસ્ત સાહિત્યકાર હતા. જે તેમની
વિભિન્ન રચનાઓથી ખૂબ જ સ્પષ્ટ જણાય છે. જેમ કે :
સમ્યગ્દર્શનાર્થીઓ માટે ‘સમ્યગ્દર્શન’, શ્રાવક માટે
‘શ્રાવકધર્મપ્રકાશ’, ચારિત્ર ધર્મોપાસના માટે ‘ભગવતી આરાધના’,
અહિંસા પ્રેમીઓ માટે ‘અહિંસા પરમો ધર્મ’ (પાંચ ભાષાઓમાં અનેક
આવૃત્તિઓ), નાટક પ્રેમીઓ માટે ‘અકલંક-નિકલંક’, બાળકો માટે ‘જૈન
બાળપોથી’, ઉત્કૃષ્ટ ભક્તિ માટે ‘ભક્તામર સ્તોત્ર વિવેચન’, ઉપકાર–
અંજલિરુપ ‘અભિનંદન ગ્રંથ’, ઉત્તમ પ્રવચન સંકલન ‘અધ્યાત્મ સંદેશ’,
સુંદર અનુવાદ ‘લઘુતત્ત્વ સ્ફોટ’, ઉત્તમ કથા-વાર્તા ‘દર્શનકથા’,
ભાવવાહી આધ્યાત્મિક કાવ્યો, ‘સ્વાનુભૂતિ-પ્રકાશના ૪૭ પદો’ અને
All in One ‘ચોવીસ તીર્થંકરોનું મહાપુરાણ’–આવું મહાન વીતરાગી
સાહિત્ય રચીને બ્ર. હરિભાઈએ મોટી યુનિવર્સિટી જેવું જ્ઞાન-પ્રસારનું
ઉત્તમ કાર્ય કરેલ છે.
આધ્યાત્મિક જગતમાં ખૂબ જ પ્રશંસા પામેલ માસિક ‘આત્મધર્મ’
ગુજરાતી-હિન્દીનું ૩૨ વર્ષ સુધી લેખન-સંપાદન કરી દેશ-વિદેશ, જૈન-
જૈનેતર, બાળ-યુવાન અને પ્રૌઢવયના ભવ્યજીવોને આધ્યાત્મિકજ્ઞાન
તરફ આકર્ષ્યા છે.
( ૯ )લેખકનો પરિચય
બ્ર. હરિલાલ જૈન, જૈન સાહિત્યના
‘કલ્પવૃક્ષ’ સમાન હતા. તેઓશ્રી દ્વારા
એકસો પચાસથી પણ અધિક પુસ્તકોની
રચના થઈ છે. આ રચનાઓ ખૂબ જ
સુંદર, સરળ, સચિત્ર અને લોકપ્રિય
હોવાને કારણે તેમાંની ઘણી બધી રચનાઓ
ગુજરાતી, હિન્દી તેમજ અન્ય ભાષાઓમાં