Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 90 of 237
PDF/HTML Page 103 of 250

 

background image
૯૦ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
મચ્છે કહ્યું – ભાઈ! હું ઘણાય વખતનો તરસ્યો છું, પાણી
વગર તરફડું છું, માટે ક્યાંયથી પાણી લાવી આપો; તમારો ઉપકાર
થશે. મહાજનની રીત છે કે દુઃખીને મદદ કરે; માટે તમે પાણી
લાવીને મારી તરસ મટાડો.....હું તમને ચિદાનંદ વસ્તુ પ્રત્યક્ષ
બતાવીને તેની પ્રાપ્તિ કરાવીશ.
ત્યારે તે જિજ્ઞાસુ પુરુષ આશ્ચર્યથી કહેવા લાગ્યો – અરે, તમે
એમ કેમ કહો છો કે પાણી લાવો! આ મીઠા પાણીના દરિયામાં તો
તમે સદાય રહો જ છો. જે દરિયામાં તમે રહો છો તે તરફ
જુઓ.....પાણી ભર્યું જ છે.
ત્યારે મચ્છ બોલ્યો – હે જિજ્ઞાસુ ભાઈ! તમે પણ મારી જેમ
જ કરી રહ્યા છો. વિચાર કરો – તમે પોતે ક્યાં રહો છો? તમે જ્યાં
રહો છો ત્યાં જ ચૈતન્યનો દરિયો ભર્યો છે, તમે પોતે જ
ચૈતન્યસ્વરુપ છો, છતાં ચૈતન્યને બહાર શોધવા કેમ નીકળ્યા છો
?
ને અમારું કાર્ય થતાં તમારું કાર્ય પણ ચોક્કસ કરશું – એ નિયમથી
જાણો.
જિજ્ઞાસુએ કહ્યું – તમારું કામ જરુર કરશું, – માટે બતાવો.