Samyak Darshan Part 7 8 (Gujarati). Mare Nijanandne Bhetvu Chhe.

< Previous Page   Next Page >


Page 91 of 237
PDF/HTML Page 104 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૯૧
તમારામાં ભરેલા ચૈતન્યદરિયા તરફ જુઓને! સન્દેહ ન કરો.....ને
ચૈતન્યસ્વરુપે જ પોતાને અનુભવો. અનાદિથી ભૂલ્યા, છતાં તમારો
જ્ઞાનભાવ મટી ગયો નથી, જ્ઞાનસમુદ્રમાંથી તમે બહાર નીકળી ગયા
નથી. સ્વયં પોતે જ્ઞાનસ્વરુપ છો, જ્ઞાન પોતે પોતાને બીજે શોધે તે
આશ્ચર્ય છે. ‘હે જીવ
! જેને તું શોધે છે તે તું પોતે જ છે. – માટે
અંતર્મુખ થઈને સ્વસંવેદન કર.’
જિજ્ઞાસુ તો પોતાનું સ્વરુપ પોતામાં દેખીને સ્તબ્ધ થઈ
ગયો.....ને માછલું ક્યાં અલોપ થઈ ગયું – તેની ખબરે ન પડી.
પણ તેના ઉપદેશના પડઘા હજી સંભળાય છે.....
વસ્તુ પોતે પોતાના સ્વરુપમાં જ છે.....તેને બહાર ન શોધો.
વસ્તુ પોતાના સ્વભાવનો ત્યાગ કોઈ કાળે ન કરે.
વસ્તુના સ્વરુપનો મહિમા અનંત છે, અચિંત્ય છે, અમિટ છે.
પોતામાં ઉપયોગ મૂકીને જોવું – એ જ સ્વરુપને પામવાની રીત
છે.
સંતોએ ને ગ્રંથોએ માર્ગ બતાવ્યો છે, પણ ઉપયોગ પોતે અંદર
જાય તો પોતાની વસ્તુ પોતાને પ્રાપ્ત થાય.
પોતામાં જ વસ્તુ પ્રાપ્ત થતાં મહાન આનંદ થાય
– એ જ ‘સ્વાનુભવ – પ્રકાશ’ છે.
મારે નિજાનંદને ભેટવું છે –
એવું ભેટવું છે કે તે – રુપે જ હું થઈ જઉં
હું જ આનંદ છું, – આનંદસ્વરુપમાં તન્મય થઈને ભેટવા