પદાર્થોમાં ઇષ્ટ – અનિષ્ટભાવના છોડું છું; રાગ – દ્વેષરુપ સમસ્ત
ચિંતા મટાડીને, નિજાનંદી પ્રભુએ એકને જ ધ્યાનમાં ધ્યાવી –
ચિંતવી – તેમાં જ ઉપયોગને લીન કરી, મારા સમસ્ત
દ્રવ્યગુણપર્યાયને આનંદમય કરી દઉં છું. – આ મારી સ્વસમયરુપ
સમાધિ છે.
એકરસતા થઈ છે કે બહારના કોઈપણ પરિષહની વેદના તેમાં ઘૂસી
શકતી નથી. આનંદરસના આસ્વાદમાં તૃપ્ત આત્માને બહારની કોઈ
અપેક્ષા જ રહી નથી, – એટલે બહારમાં ઇન્દ્રપદની સમ્પદા હો
કે કોઈ ઘોર ઉપદ્રવ હો, – બંને તેને તો સરખા જ છે, – પોતાથી
બાહ્ય જ છે. અહા, ચિત્ત તો પરમેશ્વરમાં લીન થયું છે – ત્યાં
પરમાનંદની શી વાત
આનંદ થયો છે; દ્રવ્ય – ગુણ – પર્યાય – પ્રદેશો બધાય આનંદરસમાં
તરબોળ છે. અહા, આત્મસાધનાના પહેલા પગલામાં જ આવી મજા
છે. પછી તેમાં લીનતારુપ સમાધિ થાય ત્યારે તો બહારમાં દુઃખાદિ
પ્રસંગની વેદનાને પણ આત્મા વેદતો નથી, જ્ઞાન પોતાના સહજ
સુખના વેદનમાં જ મગ્ન છે. એ રીતે આત્મસમાધિવડે જ્ઞાન – સુખનું
વેદન વધતાં – વધતાં, સર્વ આવરણને તોડીને આત્મા પોતે
પરમસુખી પરમાત્મા થઈ જશે. – તેને હવે તો થોડીક જ વાર છે. –
તે માર્ગમાં ઝડપથી ચાલી રહ્યા છીએ.