આત્મા’’ એવો ગુણ – ગુણીભેદ કાંઈ જડમાંથી નથી ઊઠયો,
રાગમાંથી પણ નથી ઊઠયો, પણ જ્યાં ગુણ અને ગુણીનું અસ્તિત્વ
છે એવી એક ચૈતન્યવસ્તુમાંથી તે ભેદ ઊઠયો છે; ને તે વસ્તુને
અનુભવતાં તે બંને ભેદ તેમાં જ સમાઈ જાય છે.
જા.....તો ભેદદ્વારા તને અભેદની પ્રાપ્તિ થશે, ગુણદ્વારા વસ્તુની
પ્રાપ્તિ થશે. ગુણસ્વરુપ તો વસ્તુ જ છે, – બીજું કોઈ નથી. આ
રીતે ગુણનો ભેદ અભેદવસ્તુને જાણવામાં કારણ છે ( – વ્યવહાર
છે તે પરમાર્થનો પ્રતિપાદક છે) : ગુણ સાધન છે, વસ્તુ સાધ્ય છે.
ગુણ – ગુણીની એકતાદ્વારા ભાવશ્રુતરસ ઝરે છે....તેને પી – પીને
આત્મા અમર થાય છે.
રાગદ્વેષનું પણ ઉત્થાન થઈ શકતું નથી, એટલે રાગદ્વેષથી પણ
આત્માને જુદો રાખે છે; અને ‘જ્યાં ચેતન ત્યાં સર્વગુણ’ – જ્યાં
એક ગુણ છે ત્યાં સર્વ ગુણ છે – એ ન્યાયે અનંતગુણસંપન્ન
અવિકારી આત્માની સ્વાનુભૂતિ કરાવે છે. અહા, જૈનધર્મના
વ્યવહારમાં પણ પરમાર્થ કેવો સમાયેલો છે