Samyak Darshan Part 7 8 (Gujarati). Bhed Pragat Karnarna Vichar.

< Previous Page   Next Page >


Page 95 of 237
PDF/HTML Page 108 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૯૫
જ કરજો.....મહાન ઉલ્લાસ રાખજો.....તમને બહુ મજા
આવશે.....ને આનંદની સિદ્ધિ થશે.....
ક્યારેક બેચેની થાય.....મન મૂંઝાય.....ધીરજ ખૂટતી લાગે
તો વગર વિલંબે, વગર સંકોચે આત્મજ્ઞાની પાસે જઈને હૃદય
ખોલી નાંખજો.....તે જ્ઞાનીની એક જ દ્રષ્ટિ – મીઠીમધુરી ચૈતન્યની
વાત તમારી હતાશાને તરત જ ખંખેરી નાંખશે ને તમારા આત્માને
સ્વરુપ સાધવાની અખંડધારામાં જોડી દેશે.
સાચી આત્મલગની કરો.....તો કાર્યસિદ્ધિને વાર નથી.
જૈનશાસન અને જ્ઞાનીજનો તમારી પાસે જ છે.
તત્ક્ષણ ‘સ્વાનુભૂતિનો પ્રકાશ’ કરો. (આશીષ
!)
b o b
ભેદજ્ઞાન પ્રગટ કરવાના વિચાર
અનંતસ્વભાવી આત્મા; તેનું જ્ઞાનકાર્ય મુખ્ય. તે પોતાના
જ્ઞાનકાર્ય વડે જડને – વિભાવને જાણે ત્યારે, ‘હું જ્ઞાન છું’ એવા
જ્ઞાનસ્વાદને ભૂલી જાય છે ને અજ્ઞાનનો સ્વાદ લ્યે છે.....અજ્ઞાનનો
સ્વાદ એટલે મોહનો સ્વાદ તે દુઃખ છે.
હવે ભેદજ્ઞાન આ પ્રમાણે કરવું કે – હું જાણનાર
જ્ઞાનસ્વભાવી છું, જ્ઞાન સાથે મારા અનંતસ્વભાવો તન્મય છે. આવા
જ્ઞાનસ્વભાવથી હું પોતે પોતામાં જ જ્ઞાનરુપે પરિણમી રહ્યો છું; તે
જ્ઞાનનો સ્વાદ મહા આનંદરુપ છે. આવું જ્ઞાનવેદન તે સુખ છે; તેમાં
મોહ નથી. એટલે જડને કે વિભાવને જાણવા છતાં તેમાં ક્યાંય તે
o