થતો હતો, પણ ઉપયોગ જ્યાં મોહાગ્નિથી છૂટો પડયો ત્યાં શાંત
થઈ ગયો, તેમાં કોઈ ફદફદાટ ન રહ્યો. – એ જ મારું અસલી
શાંત સ્વરુપ છે. – આમ વારંવાર અત્યંત શાંતચિત્તે પોતાના
સ્વરુપની ભાવના કરવી. ત્યાં સ્વભાવ પ્રગટે છે ને સાચો આનંદ
વેદાય છે. – એનો સાક્ષી આત્મા પોતે જ છે.
ચેતનપણું, એકલું ચેતનપણું, અનંતભાવથી ભરેલું ચેતનપણું, દ્રવ્ય
– પર્યાયરુપ ચેતનપણું – તે જ તું છો. તું ચૈતન્યરસમાં ચડી જા.
થઈ સ્વાનુભૂતિ કરી લ્યે છે, તે ધન્ય છે, મોક્ષના સાધક છે.
સ્વરુપના અનુભવ વખતે તે પોતાના સિદ્ધસમાન આત્મતત્ત્વને
સ્વસંવેદનરુપ કરીને પ્રત્યક્ષ દેખે છે. – આવો અનુભવ પૂજ્ય છે,
સર્વે સંતોએ એની પ્રશંસા કરી છે; સર્વશાસ્ત્રોમાં એનો જ મહિમા
ભર્યો છે.
આશા સર્વથા મટાડી, તારા ચેતનના સ્વરસથી તૃપ્ત થા. તારા
ચેતનરસનો સ્વાદ જ કોઈ એવો અપૂર્વ છે કે તે ચાખતાં પરમ તૃપ્તિ
ઊપજે છે, – એવી તૃપ્તિ ઊપજે છે કે પછી બીજું કાંઈ રસવાળું
લાગતું નથી. ચૈતન્યરસ પાસે જગત નીરસ લાગે છે. એ ચૈતન્યરસ
ચાખતાં જ વિષયભાવરુપ સર્વે વ્યાધિ મટી જાય છે.