મહાજનો જે પંથ પકડી પાર થયા તે જ અવિનાશી – પુરીનો પંથ
તું પકડ. એ મહાજનોના માર્ગે ચાલતાં તારું અનંત કલ્યાણ થશે.
આ જ સાચો સ્વ – અર્થ છે, બાકી બધો અનર્થ છે.
તેનું ગ્રહણ તે પરમાર્થ છે.
અન્ય અર્થનું ગ્રહણ તે અનર્થ છે.
બાહ્ય વિષયો તો ઉજ્જડ વેરાન છે; ત્યાં કોઈ ગુણની વસ્તી નથી,
એમાં ક્યાંય આનંદ નથી, એનો કોઈ રાજા નથી; એ મોહ લૂટારાનો
જંગલી પ્રદેશ છે, એમાં તું જઈશ મા. – નહિતર તારા ગુણનિધાન
લૂંટાઈ જશે. ચૈતન્યની રાજધાનીમાં રહેજે, ને નિશ્ચિતપણે તારા
ગુણનિધાનને ભોગવજે.
તો જાત જ જુદી છે. તારો જ્ઞાનકણિયો કષાયપૂંજથી જુદો રહી,
જ્ઞાનપિંડમાં તન્મય રહી તને કહે છે ‘હું જ્ઞાનમય છું.’ – માટે
જ્ઞાનને બીજા સ્વરુપે જોવાની ભ્રમણા છોડ. સુખ પણ જ્ઞાનમાં જ
છે, બીજે ક્યાંય નથી. જ્ઞાનથી બહાર બીજે તારું અસ્તિત્વ જ નથી,
માટે બીજે ક્યાંય ખોજીશ નહીં. ઘણાકાળથી સ્વપદને તું ભૂલ્યો
હોવાથી વારંવાર કહેવું પડે છે. હવે સ્વપદને સંભારી એવો જાગી