આત્માને જાણ
સુખની બુદ્ધિ છોડ. અનાદિથી સ્વપણે માનેલ એવા શરીરાદિ જડમાં
રાચીને, તેમાં રાગદ્વેષ કરીને તું દુઃખી થયો, તેમાં ક્યાંય તને સુખ
ન મળ્યું; હવે તેમાં સ્વબુદ્ધિ છોડી દે; સુખ તેમાં નથી, સુખ તારામાં
પોતામાં છે, તારી સામે જો.
છે
કામભોગબંધનની, એટલે વિષય – કષાયની કલંકિની કથા
સાંભળીને તેનો પ્રેમ કર્યો, તેનો જ વારંવાર પરિચય કર્યો; તેથી
તારું સુખ (તારા અંતરમાં વિદ્યમાન હોવા છતાં) તને અનુભવમાં
ન આવ્યું ને તું દુઃખી થયો. પણ ભાઈ
આદરપૂર્વક પ્રેમથી તે સાંભળજે, સમજજે, ને એવા આત્માને
અનુભવમાં લેજે. તારા સર્વ દુઃખ દૂર થશે ને તને અપૂર્વ સુખનું
વેદન થશે. આત્મા પોતે ભગવાન છે તે અનુભૂતિસ્વરુપ એટલે
જ્ઞાનસ્વરુપ છે; આવા તારા આત્માની વાત તું પ્રસન્નચિત્ત
અપૂર્વભાવે સાંભળી, વિચારી અને પોતાના અનુભવમાં લઈને
પ્રમાણ કરજે.