સમ્યગ્દર્શન )
( પક્ષાતિક્રાંત.... સમયસાર : ૧૦૯
પ ક્ષા તિ ક્રાં ત.....સ મ ય સા ર
નયદ્વય – કથન જાણે જ કેવળ ‘સમય’માં પ્રતિબદ્ધ જે,
નયપક્ષ કંઈ પણ નવગ્રહે, નયપક્ષથી પરિહીન તે.
પક્ષાતિક્રાંત થયેલ સમ્યગ્દ્રષ્ટિ કેવો છે તેનું અદ્ભુત વર્ણન
આ ગાથામાં છે. તેની અનુભૂતિનું ગંભીર સ્વરુપ સમજાવવા
ટીકામાં છ બોલથી કેવળીભગવાન સાથે સરખામણી કરી છે : –
જેવી રીતે કેવળી ભગવાન તેવી રીતે શ્રુતજ્ઞાની – સમ્યગ્દ્રષ્ટિ
૧. વિશ્વના સાક્ષી છે.....તેથી,
૧. પરનું ગ્રહણ કરવા પ્રતિ
ઉત્સાહ નિવૃત્ત થયો છે...તેથી
૨. નયપક્ષોના સ્વરુપને
૨. નયપક્ષોના સ્વરુપને કેવળ
કેવળ જાણે છે.....
જાણે છે...
૩. સકળ કેવળજ્ઞાન વડે
૩. ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા
વિજ્ઞાનઘન થયા છે.....
વડે વિજ્ઞાનઘન થયો છે.....
૪. સદા – પોતે જ વિજ્ઞાનઘન
૪. તે કાળે – (અનુભવ વખતે)
થયા છે.....
પોતે જ વિજ્ઞાનઘન થયો છે..
૫. શ્રુતજ્ઞાનની ભૂમિકાથી
૫. વિકલ્પોની ભૂમિકાથી
અતિક્રાંત થયા છે.....
અતિક્રાંત થયો છે....
૬. નયપક્ષના ગ્રહણથી
૬. નયપક્ષના ગ્રહણથી દૂર
દૂર થયા છે.....
થયો છે.....
તેથી તે બંને, કોઈપણ નયપક્ષને ગ્રહતા નથી. આ છ બોલમાં
બીજો અને ચોથો બોલ એકસરખા છે; બાકીનાં ચાર બોલમાં
નજીવો તફાવત હોવા છતાં ‘પક્ષાતિક્રાંત’ સંબંધી સમાનતા છે.