Samyak Darshan Part 7 8 (Gujarati). Swanubhutino Aprar Mahima.

< Previous Page   Next Page >


Page 110 of 237
PDF/HTML Page 123 of 250

 

background image
૧૧૦ : સ્વાનુભૂતિનો અપાર મહિમા )
( સમ્યગ્દર્શન
સ્વાનુભૂતિનો અપાર મહિમા
અહા, આચાર્યદેવે શુદ્ધાત્માનો નિર્વિકલ્પ અનુભવ કરનારા
સમ્યગ્દ્રષ્ટિને કેવળી ભગવાન સાથે સરખાવ્યા છે. આ સમજતાં
નિર્વિકલ્પ – અનુભૂતિનો અપાર મહિમા સમજાય છે.
‘ધન્ય સ્વાનુભૂતિ !’
આવી અનુભૂતિસ્વરુપ થયેલ આત્મા તે પોતે જ ‘સમયસાર’
છે, તે પરમાત્મા છે, તે સમ્યગ્દર્શન છે, તે સમ્યગ્જ્ઞાન છે, તે
ઉત્પાદ – વ્યય – ધ્રુવ છે, તે જ દ્રવ્ય – ગુણ – પર્યાયસ્વરુપ છે;
અનુભવથી તે કંઈ જુદા નથી.
તે આત્મા કેવો અનુભવ કરે છે? તેની સ્પષ્ટતા કરતાં
આચાર્યદેવ કળશ ૯૨ માં કહે છે કે –
‘ચિત્સ્વભાવના પૂંજ વડે જ પોતાનાં ઉત્પાદ – વ્યય – ધ્રૌવ્ય
ભવાય છે – આવું જેનું પરમાર્થસ્વરુપ હોવાથી જે એક છે; સમસ્ત
બંધપદ્ધતિને દૂર કરીને આવા અપાર સમયસારને હું અનુભવું છું.’
આવો અનુભવ તે જ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, ને
‘સમયસાર’ છે. આથી વિરુદ્ધ બીજો કોઈ અનુભવ સમ્યગ્દર્શનમાં
કે જ્ઞાનમાં હોતા નથી. સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન જે શુદ્ધાત્માને
અનુભવે છે તે એક જ છે, જુદા જુદા નથી.
અહા, સમયસારની આ ગાથા ૧૪૩-૧૪૪ નું સ્પષ્ટીકરણ
શ્રીગુરુ – કહાન જ્યારે પ્રવચનમાં કરતા, ત્યારે ચૈતન્યઅનુભૂતિના
મહિમાના કોઈ અનેરા ભાવો ઉલ્લસતા.....જે કોઈક વિરલ ઊંડા –
મુમુક્ષુઓ જ ઝીલતા, ને આવી અનુભૂતિનો ગંભીર મહિમા
સમજીને તેનો પ્રયત્ન જગાડતા.