Samyak Darshan Part 7 8 (Gujarati). Sachho Marg Le To Fal Aave.

< Previous Page   Next Page >


Page 111 of 237
PDF/HTML Page 124 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિનો મહિમા : ૧૧૧
આમ તો આખુંય સમયસાર સમ્યગ્દર્શનથી ને શુદ્ધાત્માની
અનુભૂતિથી ભરેલું છે; તેમાંય આ ગા. ૧૪૩ – ૧૪૪ માં
સમ્યગ્દર્શન થવાનું ખાસ વર્ણન છે : તેમાં વીસ – વીસ શ્લોકો
દ્વારા તેમજ ગાથા દ્વારા સ્પષ્ટ સમજાવ્યું છે કે નયપક્ષના વિકલ્પો
વડે (ભલે હું શુદ્ધ છું એવો શુદ્ધનયનો વિકલ્પ હોય – તો પણ તેના
વડે) શુદ્ધાત્માનો નિર્ણય કે અનુભૂતિ થતી નથી. પ્રથમ શ્રુતજ્ઞાન વડે
જ (વિકલ્પવડે નહિ પણ જ્ઞાનવડે જ) શુદ્ધાત્માનો નિર્ણય થાય છે;
એવો નિર્ણય કરનારું જ્ઞાન, વિકલ્પોને (ઇંદ્રિયો તેમજ મનને)
ઓળંગીને, આત્મસન્મુખ થઈને શુદ્ધાત્માની અનુભૂતિ કરે છે;
આવી અનુભૂતિ કરનાર આત્મા તે ભગવાન છે, તે સમયસાર છે;
સમ્યગ્દર્શન, જ્ઞાન ને આનંદ પણ તે જ છે.
આવો અનુભવ કરવો તે જ સર્વે સંતોનો ઉપદેશ છે.
‘સાચો માર્ગ લે.....તો ફળ આવે’
(છ મહિના તો વધુમાં વધુ)
આચાર્યદેવ કરુણાથી કંઈક ઠપકા સાથે આત્મહિતનું
માર્ગદર્શન આપતાં (કળશ ૩૪માં) કહે છે કે –
विरम.....!’ હે ભવ્ય! તને નક્કામો કોલાહલ કરવાથી શું
લાભ છે? એનાથી તું વિરામ પામ. (તારી કલ્પનાઓ છોડી દે.)
અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચલ લીન થઈ અંતરમાં દેખ.
આવો, અમે કહીએ છીએ તે રીતે, છ મહિના આત્માને દેખવાનો
અભ્યાસ કર. – એમ કરવાથી તારા પોતાના હૃદયસરોવરમાં
દેહાદિથી ભિન્ન તારા શુદ્ધઆત્માની ઉપલબ્ધિ અનુભૂતિ તને થશે
જ.