(દ્રવ્યપર્યાયનું અભિન્નપણું) છે; ‘જ્ઞાયક’થી જુદો બીજો કોઈ
‘જ્ઞાતા’ નથી : ‘જ્ઞાત તે તો તે જ છે.’ આ છઠ્ઠી ગાથાનો અર્થ
કેટલાક જીવો બરાબર સમજતા નથી, અને ‘તેમાં આત્માને સર્વથા
અપરિણામી કહ્યો છે’ – એમ માને છે, – તે ભ્રાન્તિનું નિરાકરણ
ઉપરના ન્યાયો સમજવાથી થઈ શકશે.
ગુણસ્થાનોને અશુદ્ધ કહ્યા; પરંતુ ભેદજ્ઞાનવડે તે ઉદયભાવોને બાદ
કરીને જોતાં જે સમ્યક્ત્વ – કેવળજ્ઞાનાદિ શુદ્ધભાવો દેખાય છે તે
તો જીવનું સ્વરુપ છે ને સ્વભાવથી જીવ પોતે તે – રુપ પરિણમે છે.
તે પરિણમન જીવનું ‘કર્મ’ છે ને શુદ્ધજીવ તેનો ‘કર્તા’ છે – એમ
કર્તા – કર્મનું અનન્યપણું (એકપણું) છે. આ, છઠ્ઠી ગાથાનું ને
સમયસારનું તાત્પર્ય છે.
વિરાધક છે; એ વાત સમયસાર ૩૨૨ થી ૩૪૪ સુધીની ૨૩
ગાથામાં બહુ સ્પષ્ટ રીતે સમજાવીને સાબિત કર્યું છે કે આત્મા
અપરિણામી નથી પણ સ્વપરિણામી છે. અજ્ઞાની જીવ પોતાના
અજ્ઞાનપરિણામને કરે છે, ને ભેદજ્ઞાની જીવ જ્ઞાન ભાવરુપ
પરિણમતો થકો તે જ્ઞાનપરિણામનો કર્તા (તથા વિભાવનો અકર્તા)
થાય છે. આ રીતે જીવ કંઈક પરિણામ તો કરે જ છે.