Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 115 of 237
PDF/HTML Page 128 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( વિવિધ ચર્ચાઓ : ૧૧૫
સમયસાર ગા. ૧૧
ભૂતાર્થનો આશ્રય કરનાર જીવ સમ્યગ્દ્રષ્ટિ
જૈનધર્મનો મંત્ર ] * [ શુદ્ધનય ભૂતાર્થ
ભૂતાર્થસ્વભાવી શુદ્ધાઆત્મા, તેના અનુભવરુપે પરિણમેલો
જીવ તે પોતે ‘શુદ્ધનય’ છે; તે ‘શુદ્ધનય’ ભૂતાર્થ છે, ને એવા
‘ભૂતાર્થ’ના આશ્રયવાળો જીવ સમ્યગ્દ્રષ્ટિ છે.
શુદ્ધનય તો શ્રુતજ્ઞાનની પર્યાય છે, પણ અહીં તે પર્યાયનો ભેદ
ન કરતાં, શુદ્ધનય અને તેના વિષયભૂત શુદ્ધઆત્મા – તે બંનેને
અભેદ કરીને, તેને જ (એટલે કે તેવા ભાવરુપે પરિણમેલા જીવને
જ) ‘ભૂતાર્થ’ અને ‘શુદ્ધનય’ કહેલ છે, ને તે પોતે જ સમ્યગ્દર્શન છે.
આ રીતે ‘શુદ્ધનય ભૂતાર્થ’ હોવાનું અને તે ‘ભૂતાર્થના આશ્રયે
સમ્યગ્દ્રષ્ટિ’ હોવાનું સમજાવીને પ્રભુ કુંદકુંદસ્વામીએ સમ્યગ્દર્શનનો
અમોઘ – મંત્ર આપ્યો છે. તેમને નમસ્કાર હો.
શ્રી ગુરુકહાન આ ગાથાને જૈનધર્મનો મંત્ર કહેતા હતા.
નિ જ પ દ
હે ઉત્તમ મુમુક્ષુ!
જેમ ક્રોધાદિ વિભાવો તારાથી પર ભાવો છે ને બાહ્ય છે, તેમ
તારા જ્ઞાનાદિ પર્યાયોરુપ ચેતન ભાવોને તારાથી બાહ્ય કે પર ભાવો
ન માનીશ, તે તો તારા સ્વભાવના અંતરંગ નિજભાવો છે. –
સાંભળ
! (સમયસાર : ૨૦૫)
મતિ – શ્રુત – અવધિ – મન: – કેવળ તેહ પદ એક જ ખરે,
આ જ્ઞાનપદ પરમાર્થ છે, જે પામી જીવ મુક્તિ લહે.