Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 116 of 237
PDF/HTML Page 129 of 250

 

background image
૧૧૬ : વિવિધ ચર્ચાઓ )
( સમ્યગ્દર્શન
– જે મતિ – શ્રુત વગેરે જ્ઞાનપર્યાયો છે તેઓ જ્ઞાનમય આ
એક પદને ભેદતા નથી પણ ઊલ્ટા અભિનંદે છે.
c જૈ નં જ ય તિ શા સ નં c
આખાય સમયસારમાં, મૂળગાથા કે તેની સંસ્કૃતટીકામાં
શુદ્ધપર્યાયથી જુદો આત્મા ક્યાંય કહ્યો નથી, સર્વત્ર અભેદ કહ્યો છે.
તેમ જ દ્રવ્ય – ગુણ – પર્યાય વચ્ચે પ્રદેશભેદ હોવાનું પણ ક્યાંય
કહ્યું નથી. શતશતવાર ગુરુગમે સમયસારના મથનનો સાર આ છે
કે તારા શુદ્ધ દ્રવ્યગુણપર્યાયથી તારો આત્મા અભેદ છે – તે જ
આત્માનું ‘એકત્વ’ છે; ને તેને પર દ્રવ્યો તથા પરભાવોથી
ભિન્નતારુપ ‘વિભક્ત’ પણું છે. આવા એકત્વ – વિભક્તરુપ શુદ્ધ
અભેદ આત્માની અનુભૂતિ કરવી તે જ શુદ્ધનય છે; ને શુદ્ધનયની
અનુભૂતિથી ઊંચું ખરેખર બીજું કાંઈ નથી. અનુભૂતિમાં શુદ્ધનય
અને તેનો વિષય અભેદ છે; તેથી ‘શુદ્ધનય ભૂતાર્થ છે’ અને આવી
અનુભૂતિ તે જ જૈનશાસન છે.
जैनं जयति शासनम्
સ્વ-પરનું ભેદજ્ઞાન
‘અણુમાત્ર પણ રાગાદિનો જેને પોતામાં સદ્ભાવ છે એટલે
કે રાગના એક અંશમાત્રને જે જ્ઞાનસ્વભાવમાં ભેળવે છે તેને
ભેદજ્ઞાન નથી, તે આત્માના શુદ્ધ સ્વરુપને જાણતો નથી.’
હવે જેમ જ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવમાં પરના એક અણુ
માત્રને ભેળવતા નથી, તેમ પોતાના સ્વભાવના એક અંશને પણ
પોતાથી બહાર પરમાં ભેળવતા નથી; પોતાના જ્ઞાનના કોઈ અંશને