તે પણ આત્માને પરથી ભિન્ન જાણતો નથી.
તેમ સ્વના કોઈ અંશને સ્વથી બહાર ન કાઢવો;
પર દ્રવ્ય – ગુણ – પર્યાયથી અત્યંત ખાલી, ને
સ્વ દ્રવ્ય – ગુણ – પર્યાયથી સંપૂર્ણ પૂરો.....
આસ્રવબંધરુપ અશુદ્ધતત્ત્વને છોડીને, સંવરનિર્જરાતત્ત્વરુપે
(સમ્યક્ત્વાદિ – રુપે) જે સ્વયં પરિણમે છે તેને તો તે તત્ત્વ સાથે
એકત્વ પરિણમન છે, તેના સમ્યક્ત્વાદિ કાંઈ બાહ્ય તત્ત્વ નથી, તેને
તો તે અંત: તત્ત્વ છે – સ્વભાવ છે – ઉપાદેય છે.
તે આત્મા જ છે.’ સમ્યક્ત્વાદિને પોતાથી ભિન્ન ચિંતવવા તે વિચાર
ખોટા છે ને તેવું ચિંતન કરનાર સમ્યક્ત્વાદિરુપ પરિણમતો નથી;
– મિથ્યાત્વરુપ પરિણમે છે.
મુજ આત્મ દર્શન – ચરિત છે;
મુજ આત્મ પ્રત્યાખ્યાન ને,
મુજ આત્મ સંવર – યોગ છે.’