Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 117 of 237
PDF/HTML Page 130 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( વિવિધ ચર્ચાઓ : ૧૧૭
– કોઈ પર્યાયને જે પોતાના આત્માથી બહાર (પરદ્રવ્યરુપ) માને છે
તે પણ આત્માને પરથી ભિન્ન જાણતો નથી.
જેમ પરના કોઈ અંશને સ્વમાં ન લાવવો,
તેમ સ્વના કોઈ અંશને સ્વથી બહાર ન કાઢવો;
પર દ્રવ્ય – ગુણ – પર્યાયથી અત્યંત ખાલી, ને
સ્વ દ્રવ્ય – ગુણ – પર્યાયથી સંપૂર્ણ પૂરો.....
આવી આત્મશ્રદ્ધા ને આત્મજ્ઞાન તે જ સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાન.
સ્વતત્ત્વના કોઈ અંશને જે પરમાં નાંખે છે તેને ‘અંશી’ ખંડિત
થઈ જાય છે એટલે પૂર્ણ આત્મા પ્રતીતમાં આવતો નથી.
માત્ર નવતત્ત્વના ભેદવિચારમાં રોકાઈ રહે તેને માટે તે
‘પરભાવ’ કહ્યો; પણ નવતત્ત્વનું સાચું સ્વરુપ વિચારીને તેમાંથી
આસ્રવબંધરુપ અશુદ્ધતત્ત્વને છોડીને, સંવરનિર્જરાતત્ત્વરુપે
(સમ્યક્ત્વાદિ – રુપે) જે સ્વયં પરિણમે છે તેને તો તે તત્ત્વ સાથે
એકત્વ પરિણમન છે, તેના સમ્યક્ત્વાદિ કાંઈ બાહ્ય તત્ત્વ નથી, તેને
તો તે અંત: તત્ત્વ છે – સ્વભાવ છે – ઉપાદેય છે.
સાચો વિચારક તો સમ્યક્ત્વાદિને પોતાના આત્મામાં
અભિન્ન ચિંતવીને, તે – રુપ પરિણમન કરે છે. ‘જે સમ્યક્દર્શન છે
તે આત્મા જ છે.’ સમ્યક્ત્વાદિને પોતાથી ભિન્ન ચિંતવવા તે વિચાર
ખોટા છે ને તેવું ચિંતન કરનાર સમ્યક્ત્વાદિરુપ પરિણમતો નથી;
– મિથ્યાત્વરુપ પરિણમે છે.
‘મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે,
મુજ આત્મ દર્શન – ચરિત છે;
મુજ આત્મ પ્રત્યાખ્યાન ને,
મુજ આત્મ સંવર – યોગ છે.’