Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 118 of 237
PDF/HTML Page 131 of 250

 

background image
૧૧૮ : વિવિધ ચર્ચાઓ )
( સમ્યગ્દર્શન
‘મુજ જ્ઞાનમાં આત્મા ખરે,
દર્શન – ચરિતમાં આતમા,
પચ્ચખાણમાં આત્મા જ,
સંવર – યોગમાં પણ આતમા.’
– આ છે જ્ઞાનીનું સમ્યક્ ચિંતન!
સાક્ષી છે પ્રભુ કુંદકુંદસ્વામી.
જ્ઞાની જ્ઞાનક્રિયાના કર્તા છે
आत्मा ज्ञानं...स्वयं ज्ञानम्
ज्ञानात् अन्यत् करोति किम्?
આત્મા પોતે જ્ઞાનસ્વરુપ છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે?
જ્ઞાનથી વિરુદ્ધ અન્ય ભાવોનો કર્તા આત્મા છે – એવી બુદ્ધિ
તે અજ્ઞાની જીવોનો મોહ છે.
હવે આનો વ્યતિરેક કરીને કોઈ એમ માને કે ‘મારો આત્મા
મારા નિજ ભાવનોય કર્તા નથી, કે આત્મા પોતાની
જ્ઞાનાદિપર્યાયને પણ કરતો નથી,’ – તો તે પણ અજ્ઞાન અને
મોહ છે, તેનેય કર્તા – કર્મના સાચા સ્વરુપની ખબર નથી.
ભગવાને આત્માને જ્ઞાનથી અન્ય એવા પરભાવનો અકર્તા
કહ્યો છે, કાંઈ નિજ – જ્ઞાનભાવનો અકર્તા નથી કહ્યો; તેનો
તો તન્મયરુપે કર્તા છે.